સર્વસ્વપણે ઉપાદેય માત્ર શુદ્ધોપયોગ. અંતર્મુહૂર્ત નહિ પણ શાશ્વત અંદર રહી જવું તે જ નિજ સ્વભાવ છે, તે જ કર્તવ્ય છે. ૨૨૧.
મુનિઓ વારંવાર આત્માના ઉપયોગની આત્મામાં જ પ્રતિષ્ઠા કરે છે. તેમની દશા નિરાળી, પરના પ્રતિબંધ વિનાની, કેવળ જ્ઞાયકમાં પ્રતિબદ્ધ, માત્ર નિજગુણોમાં જ રમણશીલ, નિરાલંબી હોય છે. મુનિરાજ મોક્ષપંથે પ્રયાણ ચાલુ કર્યાં તે પૂરાં કરે છે. ૨૨૨.
શુદ્ધાત્મામાં ઠરવું તે જ કાર્ય છે, તે જ સર્વસ્વ છે. ઠરી જવું તે જ સર્વસ્વ છે, શુભભાવ આવે પણ તે સર્વસ્વ નથી. ૨૨૩.
અંતરાત્મા તો દિવસ ને રાત અંતરંગમાં આત્મા, આત્મા ને આત્મા — એમ કરતાં કરતાં, અંતરાત્મભાવે પરિણમતાં પરિણમતાં, પરમાત્મા થઈ જાય છે. ૨૨૪.
અહો! અમોઘ — રામબાણ જેવાં — ગુરુવચનો! જો જીવ તૈયાર હોય તો વિભાવ તૂટી જાય છે, સ્વભાવ પ્રગટ