જાતિસ્મરણજ્ઞાન ૮૯
________________________________________________________
અવતાર છે, જેમનાં દર્શન અને અમૃતમય વાણી ભગવાનના
વિરહને ભુલાવે એવી છે, જેમની વાણીની અનુપમ ધારા
ચૈતન્યને પલટાવે એવી અદ્ભુત છે. અહો! એવા પરમ ઉપકારી
કહાનગુરુદેવનો શું મહિમા થાય!
પરમ કૃપાળુ ગુરુદેવનાં ચરણોમાં પરમ ભક્તિથી નમસ્કાર.
**
૨૦૨૩, આસો માસ
શ્રુતસમુદ્ર પરમ ઉપકારી ગુરુદેવને નમસ્કાર
મહાવિદેહક્ષેત્ર વારંવાર યાદ આવે છે. એ નૌવલપુર નગર
અને શોભીતો બજારનો દેખાવ યાદ આવે છે. વિશેષ વિસ્તાર
યાદ આવતો નથી.
અમારા ઘરની નજીક જિનમંદિર હતું. તે અનેક અનેક
રત્નથંભોથી શોભિત જિનમંદિર હતું; તેમાં રત્નોના પ્રકાશમય
ભગવાન બિરાજી રહ્યા હતા; હું (દેવાભાઈ) અને મારી માતા
સામગ્રી લઈને પૂજા કરવા જતાં હતાં.
કોઈ પ્રસંગોમાં રાજકુમાર અને નગરજનો સાથે પણ
પૂજનનો પ્રસંગ બની આવતો હતો.
આ વાતનો વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
કોઈ ઉત્સવ પ્રસંગે માતાપિતા અને હું (દેવાભાઈ) બીજા
કોઈ નગરમાં જતા હતાં; ત્યાં ધાર્મિક ઉત્સવ ઉજવાઈ રહ્યા હતા.
એના વિશે વિશેષ યાદ આવતું નથી.