બીજને દિવસે પણ આ સ્મરણ સહજપણે આવ્યા કરતું હતું.)
જવાનો પ્રસંગ બન્યો હતો. ત્યારે મારે એટલે દેવાભાઈના
જાણવામાં હતું અને લોકમાં પણ તે વાત પ્રસરેલી હતી તે યાદ
આવે છે કે આ રાજકુમાર અહીંથી ભરતક્ષેત્રમાં જન્મશે, ત્યાં આ
આચાર્યદેવના એટલે કે કુંદકુંદાચાર્યદેવના માર્ગે ચાલીને
પંચમકાળમાં ધર્મતીર્થનો પ્રકાશ કરશે.
આચાર્યદેવના કહેલા-માર્ગે ચાલીને ભરતક્ષેત્રમાં પંચમ કાળમાં
ધર્મતીર્થનો પ્રકાશ કરશે.
તેમાંના કોઈ દ્વારા આ વાત પ્રગટ થયેલી હતી, લોકસમુદાયમાં
પ્રસરેલી હતી, અને હું એટલે દેવાભાઈ પણ આ વાતને જાણતા
હતા. આ વાત સાવ સ્પષ્ટ છે. મહાવિદેહક્ષેત્રમાંથી ભરતમાં
આવ્યા તે વાત યાદ કરતાં ખેદ થાય છે, તેથી ઉપયોગ તે વાત
ઉપર વિશેષ જતો નથી. જે યાદ આવ્યું તે લખ્યું છે.