Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 94 of 153
PDF/HTML Page 107 of 166

 

background image
૯૪ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
કોઈ પણ ક્ષેત્રમાં-જે જમીનમાં રસ વૃદ્ધિ પામ્યા હોય એવી
હરિયાળી જમીનમાં- કોઈ તીર્થંકર રાજાને ઘેર તેમના પુત્રપણે
જન્મશે; ત્યાં તે મનુષ્યભવમાં તેમને તીર્થંકર ગોત્ર બંધાશે, ત્યાં
આબેહૂબ મુનિપણું પાળીને અહમિન્દ્ર થશે; ત્યાંથી શ્રી
કહાનગુરુદેવનો આત્મા ધાતકીખંડદ્વીપમાં, જ્યાં સદા ધર્મકાળ વર્તી
રહ્યો છે એવા વિદેહક્ષેત્રમાં સૂર્યકીર્તિસ્વામી નામના તીર્થંકર
ભગવાન થશે.
આ જન્માન્તરોની વાત આ જીવે એટલે કે દેવાભાઈએ
વિદેહક્ષેત્રમાં સાંભળી હતી તે યાદ આવે છે.
આ વાતનું વર્ણન પહેલાં આવી ગયું છે, તો પણ ફરીને
થોડું લખ્યું છે.
સીમંધર ભગવાનનું સમોસરણ યાદ આવે છે. ભગવાનના
દરબારમાં, સમવસરણમાં પ્રવેશ કરતાં અનેક અનેક જોવાની
વસ્તુઓ આવે છે, સુગંધથી ભરપૂર ઘનતાવાળી રત્નની પુષ્પોની
વાડી, ફળ ને ફૂલોવાળાં શોભીતાં ઝૂલતાં રત્નનાં વૃક્ષો, દેવોની
વૈક્રિયક-શક્તિથી થયેલ બજાર જેવો દેખાવ, અનેક જાતની
વસ્તુઓ, રત્નનાં વસ્ત્રાભૂષણ, શંખ, ચક્ર જેવી વસ્તુઓ-કોઈ
દેવતાઈ વસ્તુઓ-, અનેક જાતની વસ્તુઓનું જ્યાં પ્રદર્શન હતું;
દેવોના મહેલો અને દેવોને ફરવાનાં સ્થાનો વગેરે હતું; તે
ફરવાનાં સ્થાનોમાં રત્નના ઝૂલા જેવો દેખાવ હતો. તે બધું યાદ
આવવાથી લખાઈ જાય છે. જે, સમોસરણમાં અનુપમ દિવ્યમૂર્તિ
ભગવાન બિરાજી રહ્યા છે તે જગતથી જુદા જ હતા; હોઠ