૯૮ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
ભગવાનની દિવ્યતાનું શું વર્ણન થાય!
ભગવાન વારંવાર યાદ આવે છે. હૃદયમાં તરવરે છે તેથી,
મહિમા આવવાથી લખાઈ જાય છે.
ભગવાનનો દિવ્ય દેહ પ્રકાશમય હોવા છતાં સમોસરણમાં
સ્પષ્ટપણે દર્શન થતાં હતાં.
ભગવાન મંગળના પુંજસ્વરૂપ હોવાથી તેમના પાસેની
વસ્તુઓ બધી મંગળમય દેખાતી હતી; જ્યાં વાજિંત્રોના મંગળ
સૂર વાગી રહ્યા હતા.
ભગવાનના દરબારમાં દેવોનાં નાટકની જાદુભરી રચના
હતી. ઘડીમાં દ્રશ્ય ઘડીમાં અદ્રશ્યપણે દેવોનાં નાટક જુદા પ્રકારનાં
હતાં. નાટક દ્વારા દેવો જિનેન્દ્ર ભગવાનના ગુણોની મહિમા
પ્રકાશિત કરતા હતા.
શુદ્ધાત્માની શુદ્ધ પરિણતિ સિવાય કયાંય વિશ્રાન્તિ નથી,
તો પણ આ બધું જાણવા તરફ ઉપયોગ સહેજે ચાલ્યો જાય છે.
પૂર્વે દેવાભાઈનાં ભવમાં આ જીવ મહાવિદેહક્ષેત્રમાં ઘણા
ઘણા કાળથી હોવાથી અને ઉપયોગ સહજપણે તે તરફ જવાથી
આ બધી વાત યાદ આવ્યા કરે છે.
“ધન્ય તે નગરી! ને ધન્ય તે વેળા!” જ્યાં ભગવાન
બિરાજી રહ્યા છે; જ્યાં સમોસરણમાં ભગવાનનાં દર્શન કરવા
જતા હતા, સમોસરણમાં બેસતા હતા, ધ્વનિ સુણતા હતા.
સમવસરણમાં રત્નજડિત ઊંચા ગઢના રત્નોથી શોભીતા ઊંચા