પરમ પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર હો, નમસ્કાર હો.
સેવા ભક્તિ કરી શકે! અહો! જિનેન્દ્રદેવનો મહિમા ત્રણ લોકમાં
ગાજી રહ્યો છે!
કરીએ તે બધું ઓછું છે. મન-વચન-કાયાએ કરીને નિરંતર
સમીપપણે આપની ચરણસેવા હોજો એ હૃદયની ઊંડી ભાવના
છે. આ કાળે આ ભરતક્ષેત્રમાં આપે આપની જાતે, છૂપાયેલો
મોક્ષમાર્ગ શોધીને બીજાને તે માર્ગ સમજાવી અપૂર્વ ઉપકાર કર્યો
છે. અહો! ગહન અને ઊંડું વસ્તુનું સ્વરૂપ સૂક્ષ્મ ને તીક્ષ્ણ
શ્રુતશૈલીથી સમજાવી, જ્ઞાનનાં રહસ્યો ખોલીને અમારા જેવા
પામર ઉપર અનંત અનંત ઉપકાર કર્યો છે. અહો! પ્રભુ! અમે
આપની ભક્તિ સેવા સિવાય બીજું શું કરી શકીએ!