પવિત્રતા-પરિણતિ, અને શુદ્ધ પરિણતી સહિતનું જાતિસ્મરણજ્ઞાન છે.
વૈરાગ્ય-વૈરાગ્ય! શાસ્ત્રમાં આવે છે; તીર્થંકર દીક્ષા લે ત્યારે પહેલાં
જાતિસ્મરણ થાય એવો નિયમ છે... જાતિસ્મરણ થાય ત્યારે ઉપયોગ
મૂકવો પડે નહિ અને ફટ જ્ઞાન થાય, એકદમ વૈરાગ્ય થઈ જાય. એવું
બેનને થઈ જાય છે. બેનને જાતિસ્મરણ થતાં વૈરાગ્ય ઘણો વધી
ગયો છે; એમને બિલકુલ પરની કાંઈ પડી નથી.