Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 125 of 153
PDF/HTML Page 138 of 166

 

background image
૧૧૮ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
(તા. ૨૬-૧૧-૬પ) વિ. સં. ૧૯૯૩, ચૈત્ર વદ આઠમના
દિવસે બેનને (બહેનશ્રી ચંપાબેનને) આત્માના શુદ્ધોપયોગરૂપ
નિર્વિકલ્પ અનુભવ સાથે ઉપયોગમાં નિર્મળતા થતાં જાતિસ્મરણ
થયું. *** સમ્યગ્દર્શન ૮૯માં થયું હતું. ***ધ્યાન કરતાં
કરતાં એટલાં એકાગ્ર થઈ જાય છે કે પોતે ભરતમાં છે કે
વિદેહમાં એ પણ ભુલાઈ જાય છે. ***અમે સાથે જ મોક્ષ
જવાના છીએ. આ વાત બધી પ્રત્યક્ષ થયેલ છે. ***બેનનું
(બહેનશ્રીનું) જ્ઞાન તો અગાધ અને ગંભીર છે. ***આ
ચંપાબેનનું જ્ઞાન તો રાજુલ કરતાં અનંત અનંત સામર્થ્યવાળું છે.
એને તો લૌકિક, પણ આમને તો અલૌકિક જ્ઞાન છે. આત્મજ્ઞાન
સહિતનું જાતિસ્મરણ છે... એમને ચાર ભવનું જ્ઞાન છે પણ
ગંભીર એટલાં કે કોઈ દિવસ બહાર પાડતાં નથી. મને પણ...
પોતાની વાત ન કરે, મારું બધું કહી જાય. બેન તો
ભગવતીસ્વરૂપ છે, ભગવતીમૂર્તિ છે. બોલવું તો એમને હરામ છે.
કયાં બોલે જ છે? માટે લોકોને મહિમા આવતો નથી. એમના
જેવાં દુનિયામાં કોઈ સ્ત્રી નથી. સ્ત્રીઓનાં મહાભાગ્ય છે કે
આવા કાળમાં-આવા મિથ્યાત્વના જોરના કાળમાં એમનો અહીં
જન્મ! એ તો જે બહુમાન કરશે એમનાં મહાભાગ્ય છે.
**
(રાજકોટ તા ૩૧-પ-૬૭) સેંકડો વર્ષોમાં નથી એવો આ
સ્ત્રી-દેહમાં આત્મા પાકયો છે. સમાજનાં એટલાં પુણ્ય છે કે આ
વાત બહાર મુકાય? લોકોને જે બોલે છે એની કિંમત આવે