Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 135 of 153
PDF/HTML Page 148 of 166

 

background image
૧૨૮ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
(તા. ૨૯-૧-૭૮) જેને આનંદમાં જમવટ જામી છે, જેને
અતીન્દ્રિય આનંદના કોળીયા લેવાય છે અને જે અતીન્દ્રિય
આનંદને ગટક ગટક પીએ છે એવા ધર્મીનું (-સાધકનું) આ
સ્વરૂપ બેનના મુખેથી (વચનામૃતમાં) આવ્યું છે. તદ્ન સાદી
ભાષા. પ્રભુના સમોસરણમાં આમ વાત ચાલતી, ભાઈ! ...
અરે! આ વાત બેસે તે તો ન્યાલ થઈ જાય તેવું છે.
જિનેશ્વરદેવનું જે ફરમાન છે તે આ બેન કહી રહ્યાં છે.
**
(તા. ૨૯-૧-૭૮) વચનામૃતના એક એક ફકરામાં, એક
એક શબ્દમાં, નિધાન ભર્યાં છે. જેને તળિયાં પકડતાં આવડે તેને
અગાધતા લાગે સ્વભાવની. પર્યાયે પ્રભુને સંઘર્યો, આખો જ્ઞાનમાં
લઈ લીધો. આ તો સિદ્ધાન્તનું દોહન છે. જગતનાં ભાગ્ય કે આ
(બેનનું પુસ્તક) ટાણે બહાર આવી ગયું. થોડા શબ્દોમાં, સાદી
ભાષામાં, મૂળ તત્ત્વને પ્રગટ કર્યું.
**
(શ્રાવણ વદ ૨) ચંપાબેન ખરેખર અજોડ રતન છે; તે તો
અંદરથી સાવ ઉદાસ છે; તેમને બહારનું આ બધું કાંઈ ગમતું નથી;
પણ લોકોને તો ભક્તિપ્રેમથી બહુમાન કરવાના ભાવ આવે ને!
**
(તા. ૭-૧૨-૭૭) બેનના પુસ્તક સિવાય આપણે કોઈમાં
પડયા નથી. બેનનું પુસ્તક બહુ સારું આવ્યું... બેનના બોલમાં