આપની ચરણસેવામાં અર્પણ કરીએ તો પણ ઓછું છે એમ આજે
ભાવના થઈ જતી હતી. અહા! સમયસારમાં કોઈ અદ્ભુત
રહસ્ય ભર્યું છે. પણ જ્ઞાન ક્રમપૂર્વક ને અધૂરું હોવાથી એક સાથે
પૂરા ને પ્રગટ ઉપયોગાત્મકપણે બધાં રહસ્યો જાણી શકાતાં નથી.
તેથી એવી ભાવના થઈ જાય છે કે હે પ્રભુ! કોઈ એવી શક્તિ
કે પરિણમન પ્રગટો કે જેથી સર્વાંશે જ્ઞાનસ્વરૂપ પોતે જ, સહજ
જ્ઞાનરૂપે, પ્રગટ ઉપયોગાત્મકરૂપે, પૂર્ણાંશે પરિણમી જાય.
પુરુષાર્થ દ્વારા-ચૈતન્યનો જે વીર્ય ગુણ છે તે દ્વારા-
નિર્મળતા થાય છે-તે ભેદ-અપેક્ષાની વાત છે. અભેદદ્રષ્ટિએ
અખંડ ગુણના પિંડસ્વરૂપ પોતે જ પરિણમીને પુરું થાય છે. ભેદ-
અભેદ વસ્તુસ્વભાવ અદ્ભુત છે!
વિભાવપરિણતિના પ્રશસ્ત તરફના પ્રવૃત્તિયોગમાં વાંચન,
વિભાવથી જુદા એવા નિવૃત્ત સ્વરૂપમાં સહજસ્વરૂપે પરિણતિનું
પ્રવર્તન છે.