જ્ઞાયકપરિણતિમાં અસર નથી. હોવાયોગ્ય નથી. સ્થિરપરિણતિમાં
અમુક અંશે સ્વરૂપસમાધિ હોવાયોગ્ય છે, ને તેમ જ છે.
આવી જવા યોગ્ય છે ને આત્મપરિણતિને લાભ થવા યોગ્ય છે.
તે શ્રી ગુરુદેવનો પરમ પ્રતાપ છે. ગુરુદેવની વાણી અદ્ભુત,
સૂક્ષ્મ ને ઊંડાં રહસ્યોથી ભરેલી છે. ગુરુદેવ આ ભરતખંડમાં
અદ્વિતીય રત્ન જાગ્યા છે-જેમના દિવ્ય ચૈતન્ય વડે અને જેમની
દિવ્ય વાણી વડે આ ભરતક્ષેત્રમાં ઘણા ઘણા જીવોનો ઉદ્ધાર થયો
છે. જેમણે, પોતે ઉગ્ર પુરુષાર્થ વડે અપૂર્વ તત્ત્વને સ્વયં જાતે
પ્રગટ કરી, હિન્દુસ્તાનના ઊંઘતા જીવોને જાગ્રત કર્યા છે,
હિન્દુસ્તાનમાં છુપાયેલા આત્મતત્ત્વને પોતે પ્રગટ કરી, અગણિત
જીવોનો ઉદ્ધાર કર્યો છે એવા ગુરુદેવનાં ચરણકમળમાં વારંવાર
પરમ ભક્તિથી નમસ્કાર, નમસ્કાર.