ને!’- એમ, તેમની મધુર ભાષા સાંભળવા માટે, ફરી ફરીને બોલાવતા.
તેમનો વારો આવે તો પણ પોતે ભીડની અંદર જઇને ભરી શકે નહિ. પછી એવી
છાપ પડી ગયેલી કે બીજાં બહેનો, જે ત્યાં હોય તે, કહેઃ ‘ચંપાને પાણી ભરી
લેવા દો! તે તો એક બાજુ ઊભી જ રહેશે, પાણી નહિ ભરી શકે.’ બહેનશ્રી
પહેલેથી આવાં નરમ સ્વભાવનાં હતાં. આવા ઘણા સદ્ગુણો તેમનામાં હતા.
મળેલ હતું; તેમાંથી સતીઓનાં ચરિત્રો તેઓ વાંચતાં તથા કેટલીક સતીઓનાં
ચરિત્રો સંબંધી રાસ- ગરબા તેઓ માળાના ચોગાનમાં ગવરાવતાં અને
અન્ય બાળાઓ ઝીલતી. બીજાં પણ નૈતિક પુસ્તકો, સદાચરણનાં પુસ્તકો
તેઓ વાંચતાં. એવાં સારાં સારા પુસ્તકો વાંચવાનો તેમને પહેલેથી જ પ્રેમ
હતો. તેમણે ધાર્મિક અભ્યાસ ઘરે બેઠાં બેઠાં વાંચીને, અથવા કોઇ બહેનની
સાથે સામાયિક-પ્રતિક્રમણ વગેરે કરતાં તે દરમ્યાન કર્યો હતો. ધર્મસ્થાનક
ત્યાં હતું, પણ બહુ દૂર. ત્યાં બહારથી આવેલા કોઇ પંડિતો વ્યાખ્યાન વાંચતા,
પણ તે ઉપદેશ સાંભળવા જવાનું તો કોઇક વાર બનતું. કોઇ વાર ઘરે બપોરે
સામાયિક કરે ને રાત્રે પ્રતિક્રમણ કરે.
શીખેલાં ને પ્રતિક્રમણ પણ મુખપાઠ કરેલું. તદુપરાંત થોકડામાં નવ તત્ત્વ, છ
કાયના બોલ, દંડક, ગતિ-આગતિ, ગુણસ્થાન-એ બધું, યથાશક્તિ
વિચારપૂર્વક, મુખપાઠ કરેલું. પુચ્છિસ્સુણં, ભક્તામર તથા કલ્યાણમંદિર વગેરે
સ્તોત્ર કંઠસ્થ કર્યાં હતાં. બીજું ધાર્મિક વાંચન પણ કરતાં. બહેનશ્રી કહેતાંઃ “
ત્યાં પંડિત “લાલન’ નું એક પુસ્તક હતું. તેમાં એમ આવતું કે ‘આંખ બંધ
કરો, કાન બંધ કરો, અંદર જે એક વિચારક તત્ત્વ છે તે આત્મા છે.’ તે વાત
મને ગમતી. તે વિચારક તત્ત્વ કોણ છે તે સમજવા