હોય પણ તત્ત્વ તો એમ જ છે અને મને એમ બેસે છે.-એમ તે કહેતાં. આમ
તેમને ઘણાં આધ્યાત્મિક તથ્યો સહજપણે અંદર બેસી જતાં.
કામકાજ વખતે પણ, તેમને તે જ વિચારો ચાલ્યા કરતા. આખો દિવસ ભાઈ
મારી સાથે બેસી રહે અને મને સમજાવે તો સારું-એમ તેમને થયા કરતું. હું
તેમને એમ કહેતોઃ આપણે સ્વતંત્રપણે ને નિષ્પક્ષપણે વિચારવું જોઈએ.
‘જૈન’ માં જન્મ્યા એટલે તે ધર્મ સાચો છે એમ માનીને ન ચાલવું,
નિષ્પક્ષપણે વિચારવું. નિષ્પક્ષપણે વિચારીને પણ તેમને તો જૈન તત્ત્વજ્ઞાન જ
બેસતું. તેઓ કહેતાંઃ હું મધ્યસ્થભાવે-નિષ્પક્ષપણે વિચારું છું તો પણ મને તો
આમ જ એટલે કે જિનેન્દ્રે કહ્યા અનુસાર જ સત્ય લાગે છે.
એટલે ‘યોગવાસિષ્ઠ’ નાં પણ કેટલાંક પ્રકરણો વાંચ્યાં હતાં. ગાંધીજીના
વિચારો ખૂબ વાંચતો. ગીતા વાંચેલી. તે ઉપરાંત ‘રામકૃષ્ણ પરમહંસ,’
‘રામતીર્થ’ ઇત્યાદિનાં જીવનચરિત્રો પણ વાંચવા લઈ આવતો. મને અંદર
એમ રહ્યા કરતું કે આપણે ‘સત્ય શું છે’-એ ન્યાયપૂર્વક નક્કી કરવું જોઈએ;
કેમ કે ગાંધીજી જેવા કેટલાય મોટા માણસો અન્ય ધર્મમાં છે, તો અન્ય ધર્મ
ખોટો હોય એમ એકદમ કેમ કહેવાય?-આવા વિચારોમાં હું અટવાયા કરતો,
ત્યારે બહેનશ્રીને તો સહેજે જૈનધર્મમાં કહેલા સિદ્ધાંતો જ બેસી જતા. ‘મને
તો આ ન્યાયો જ બેસે છે’ એમ તે કહેતાં. અમે પેલી વાતની (જીવમાં
અશુદ્ધિ વખતે પણ સામર્થ્ય-અપેક્ષાએ શુદ્ધિ કઈ રીતે રહે છે-એ વાતની)
ચર્ચા તો અનેક વાર કરતાં.
નીચેના વિષયો પર લેખો લખ્યા હતાઃ-(૧) જગત શું અને આ વિચિત્રતાનું
કારણ શું? (૨) સુખનું સાચું સ્વરૂપ અને તેનો સાચો ઉપાય. (૩) કયા
માર્ગે છું? (૪)