શ્રી સદ્ગુરુદેવને તથા તેમના પરમ ઉપકારને નમસ્કાર.
આત્મસ્થિરતા વધતા, શ્રી કુંદકુંદાચાર્ય અહીંથી
તેની સાથે તે ક્ષેત્રમાં આ આત્મા પુરુષદેહપણે ત્યાં બેઠો છે; શ્રી
સીમંધર પ્રભુ ત્યાં બિરાજી રહ્યા હતા; સામા શ્રી કુંદકુંદાચાર્ય
ઊભા છે; શ્રી શ્રુતકેવળી વગેરેનાં ટોળા ત્યાં બિરાજી રહ્યા હતા;
- એમ સ્મરણરૂપ વેદન સહજ આવ્યું.
દેહાતીત દશા દેખાતી હતી. એમના દેહનું કદ ઊચું હતું. એમના
શરીરનો વર્ણ બહુ ધોળો નહિ, બહુ રાતો નહિ એવી જાતનો
હતો. પીંછી કે કમંડલ એમની પાસે નહોતા શરીર પાતળું નહોતું
પણ ઠીક ઠીક ભરાવદાર હતું.