૩૨ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
હતો, હાથપગ ઉલાળતો હતો તે યાદ આવે છે. મારે માબાપ
હતાં, ઘરમાં બીજું કુટુંબ હતું. શું કુટુંબ હતું તે યાદ નથી આવતું.
મારી માતાએ પીળા રંગ જેવો સાડલો પહેર્યો હતો તે યાદ આવે
છે. અમારાં મકાન ચકચકતા પથ્થરનાં ઊંચી જાતનાં અને
વિશાળ હોય તેમ દેખાય છે.
શ્રી તીર્થંકર બિરાજતા હતા તે સમોસરણ નીચે લગભગ
એટલામાં ગામના મોટા મોટા રસ્તા નીકળતા હતા. આજુબાજુ
એટલામાં મકાન હતાં. તે મકાન કેવાં હતાં તે સ્પષ્ટ યાદ નથી.
તેમાંથી નાનો રસ્તો થઈને ફરતો કયાંક જાય છે ત્યાં અમારાં ઘર
હતાં.
ત્યાર પહેલાંના ભવમાં દેવલોકમાં દેવ હતો. તે દેવલોકમાં
મોટા દરવાજા દરવાજા જેવું યાદ આવે છે. ત્રીજા દેવલોકનો હું
દેવ છું એમ જ્ઞાનપર્યાય સહજ પરિણમીને સ્મરણ આવે છે.
ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં જન્મ થયો છે એમ યાદ
આવે છે. તે મહાવિદેહક્ષેત્રમાં હું ઘણા ટાઇમથી હતો એમ યાદ
આવે છે. દેવલોકનું એથી વિશેષ યાદ આવતું નથી.
ભરત, ઐરાવત, પર્વત આદિ લોકનું સ્વરૂપ મેં શ્રી તીર્થંકર
આદિ પાસેથી સાંભળ્યું છે તેમ યાદ આવે છે. પુરુષદેહપણે
સાંભળ્યું છે, આવી જાતનું સાંભળ્યું છે, પણ તે શું સ્વરૂપ
સાંભળ્યું છે તે યાદ આવતું નથી.
અહીં બિરાજે છે તે પરમ કૃપાળુ ગુરુદેવ (કહાન