Benshreeno Gnan Vaibhav (Gujarati). Varamvar Namaskar.

< Previous Page   Next Page >


Page 61 of 153
PDF/HTML Page 74 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૬૧
________________________________________________________
શ્રી સીમંધરભગવાને રાજકુમારના મહિમાયુક્ત વિશ્વવંદ્ય
તીર્થંકરપણા વિષે તથા આગલા અને પાછલા ભવાંતરો વિષે
વાત કરી છે એમ બરાબર યાદ આવે છે; પણ તે કયા કયા ભવો
અને શું શું વાત છે તે યાદ આવતું નથી. તે ભવોની વાત કરી
તેમાં એમ કહ્યું હતું કે ‘આ રાજકુમાર ભવિષ્યે તીર્થંકર થવાના
છે.’ તેની સાથે સંબંધવાળી ગણધરપણાની વાત હોવાથી તે વાત
આવી હતી તે બરાબર સ્પષ્ટપણે સહજ સ્મરણમાં આવે છે.
તીર્થંકરદેવના ભવો વિષે શું શું વાત હતી તે સ્પષ્ટપણે સ્મરણમાં
આવતું નથી.
(આ વાતને લગતા પ્રસંગને કારણે આ વાત લખાઈ જાય
છે.)
શ્રી કૃપાળુ ગુરુદેવના કૃપામય ઉપકારને વારંવાર નમસ્કાર.
અજોડ રત્ન કૃપાળુ ગુરુદેવનાં ચરણકમળમાં
પરમ ભક્તિથી વારંવાર નમસ્કાર
૨૦૦૪, પોષ વદ બીજના રોજ આવેલું સ્મરણ-
પૂર્વભવે શ્રી સીમંધર ભગવાન પાસેથી સાંભળ્‌યું છે તેમાંથી
સ્મરણ આવે છે કે આ રાજકુમાર ભવિષ્યે ધાતકીખંડ દ્વીપના
વિદેહક્ષેત્રમાં તીર્થંકર થશે, તેમનું નામ શ્રી સૂર્યકીર્તિસ્વામી તથા
શ્રી સર્વાંગસ્વામી એમ બે પ્રકારે નામ યાદ આવે છે એટલે કે બે
જાતના નામ હોય તેમ યાદ આવે છે. આ દેવાભાઈ આ