Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 67 of 153
PDF/HTML Page 80 of 166

 

background image
જાતિસ્મરણજ્ઞાન ૬૭
________________________________________________________
- આ બધી વાત સાવ સ્પષ્ટપણે, પ્રત્યક્ષતાની માફક, યાદ
આવે છે અને નિઃશંકતા બહુ આવે છે.
આ સ્મરણ આસો વદ એકમને દિવસે થોડું થોડું આવ્યું,
ત્યાર પછી વધતાં વધતાં દિવાળીને દિવસે સ્પષ્ટતાપૂર્વક થયું.
(આસો વદ અમાસ, ૨૦૧૩) આ દિવસે આ સ્મરણ
સ્પષ્ટપણે થયું.
આ ભવ પછી, ફતેહમંદ રાજકુમારનો (એટલે કે કહાન
ગુરુદેવનો), આ (દિવ્ય) મનુષ્યપણાના ભવ પછીનો બીજો ભવ
પણ, મનુષ્યપણાનો થયો; ત્યાં પણ તેઓ પુણ્યશાળી હતા, સર્વ
કાર્યોમાં જીત મેળવે એવી અજબ તેમની શક્તિ હતી. કયાં
કાર્યોમાં જીત મેળવી હતી તે સ્પષ્ટ યાદ આવતું નથી, પરંતુ જીત
મેળવતા હતા તે વાત યાદ આવે છે; આ બધી વાત સ્પષ્ટપણે
યાદ આવે છે.
તે ભવમાં તેમને કેટલોક ગૃહપરિવાર વગેરે હતું. એક વાર
તેઓ કેવળી ભગવાનનો ઉપદેશ સાંભળવા ગયા હતા અને
ઉપદેશ સાંભળ્‌યા પછી તેઓએ મુનિરાજનાં દર્શન કર્યાં અને
ભાવ આવતાં તેઓએ મુનિને પોતાના ભવોની વાત પૂછી.
મુનિએ ભવોની વાત કરી. મુનિરાજે પૂર્વભવોની અને આવતા
ભવોની શું વાત કરી તે યાદ આવતું નથી; પરંતુ મુનિરાજે કહ્યું
કે તમે ભવાંતરે તીર્થંકર થવાના છો, તે વાત બરાબર યાદ આવે
છે. (તીર્થંકર ભગવાનનું દ્રવ્ય અદ્ભુત હોવાથી મુનિરાજની
વાણીમાં