લાલ રત્નનાં શિખરો હતાં, ગુલાબી રત્નના શિખરો હતાં, જાંબુડા
(રંગ જેવા) રત્નનાં શિખરો હતાં-વિવિધ રંગનાં શિખરો હતાં,
શીખરોમાં અનેક પ્રકારની કારીગરી હતી. નવા નવા રંગનાં
રત્નજડિત મંદિરો હતાં. સફેદ રત્નનાં પ્રતિમા, લાલ રત્નનાં
પ્રતિમા, ગુલાબી રત્નનાં પ્રતિમા, લીલાં રત્નનાં પ્રતિમા, જાંબુડાં
રત્નનાં પ્રતિમા હતાં. અનેક પ્રકારના રંગના પ્રતિમા ખ્યાલમાં
આવે છે, તેની સાથે પ્રતિમાજીનાં દર્શન કેમ થતાં હોય તેમ લાગે
છે. આ રહ્યાં પ્રતિમાજી, આ રહ્યાં જિનાલયો, તેમ જણાય છે.
પરંતુ તેનું માપ કેવડું છે તે યાદ આવતું નથી, મોટાં છે તેટલું
યાદ આવે છે. પરંતુ વિશેષ વિસ્તાર યાદ આવતો નથી. કોઈ
પણ કારણે આ યાદ આવે છે તે યથાર્થ છે.
લાગે છે; ભગવાનનો, ક્ષણભર વિરહ ભુલાઈ જતો હોય તેમ
લાગે છે, દિલ ઊલસી જાય છે, મહિમા બહુ આવે છે;
ભગવાનની મુદ્રાનું સ્પષ્ટીકરણ કરતાં આવડતું નથી, અદ્ભુતતા
ભાસે છે.