Benshreeno Gnan Vaibhav (Gujarati).

< Previous Page   Next Page >


Page 74 of 153
PDF/HTML Page 87 of 166

 

background image
૭૪ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
મેરુનાં શાશ્વતાં પ્રતિમા પ્રકાશમય રત્નનાં હતાં.
મેરુપર્વતના જિનાલયમાં બધું રત્નમય હોવા છતાં ઝાડ-પાન
ફરકી રહ્યાં છે, સમોસરણમાં પણ વનસ્પતિ નહિ હોવા છતાં
ઝાડ-પાન ફરકી રહ્યાં છે. શાશ્વતાં જિનાલયોનાં શિખરોની પંક્તિ
અદ્ભુત હતી, રંગરંગના પ્રકાશવાળાં શિખરો અદ્ભુત હતાં.
એક ડુંગર ઉપર સીમંધર ભગવાનનું સમોસરણ હતું;
સમોસરણમાં ભગવાન કમળ વગેરેમાં બિરાજમાન હતા. કમળ
વગેરેમાં ભગવાન એવા સુંદર લાગતા હતા! વગેરે યાદ આવતાં
દિલ ઊલસી જાય છે.
ભગવાનના, જિનાલયના, જિનપ્રતિમાના અમુક પ્રકારે
સ્પષ્ટ દર્શન થતાં મહિમા બહુ આવે છે, અદ્ભુતતા ભાસે છે. આ
બધાંનો વિશેષ વિસ્તાર યાદ આવતો નથી.
૨૦૧૪, કારતક વદ ૧૧-
સીમંધર ભગવાન પાસેથી ભવિષ્યની કેટલીક વાત
સાંભળેલી તેમાંથી કેટલીક વાત યાદ આવે છે, અને કેટલીક
બીજા કોઈ કારણથી એટલે કે જ્ઞાનની સ્પષ્ટતાથી યાદ આવતી
હોય, પણ યાદ આવે છે તે યથાર્થ છે.
પરમ કૃપાળુ પૂજ્ય કહાન ગુરુદેવ આ ભવમાં છે, ત્યાંથી
દેવલોકે જશે; ત્યાંથી કોઈ ક્ષેત્રની જમીન સુંદર અને હરિયાળી
હશે, ત્યાં કોઈ ધર્મધુરંધર એવા તીર્થંકર રાજાને ઘેર તેમના
પુત્રપણે પરમ કૃપાળુ કહાનગુરુદેવનો જન્મ થશે. એક સુંદર