૭૮ બહેનશ્રીનો જ્ઞાનવૈભવ
________________________________________________________
કારણે પ્રત્યક્ષની જેમ જણાય છે. જે જણાય છે તે નિઃસંશય છે.
ઉપયોગની એકાગ્રતા થતાં નરકની અસ્તિ, નરકની પૃથ્વી
નજરે પડે છે. નરકની ભૂમિ જોવા ઉપર ઉપયોગ સહજ ચાલ્યો
જાય છે.
નરકની ભૂમિ ઉપર અશુચિનો કાદવ છે, તે કાદવ દુર્ગંધથી
ભરેલો છે; લોહી, માંસ, હાડકાં જેવાં પરિણમનથી પરિણમેલી
ભૂમિમાં સડેલો દુર્ગંધમય કાદવ છે; તેવી દુર્ગંધમય ભૂમિમાં નારકી
જીવો રહે છે, તેવા સડેલા કાદવમાં નારકી જીવો જીવનપર્યંત રહે
છે; નરકમાં અગ્નિના મોટા મોટા ભડકાઓ છે, જેની ઉષ્ણતા કય
ાંય સુધી ચાલી જાય છે. નરકની પૃથ્વી અતિ ઉગ્ર ઉષ્ણતારૂપે
પરિણમેલી છે, મોટી અગ્નિની ભટ્ટીઓ બળે છે; લોહી વગેરે
જેવા અશુચિના ભરેલા કુંડ છે, તે કુંડ ચમારના ઘર કરતાં વિશેષ
દુર્ગંધમય છે.
ભાલાં, બરછી, ચાકાં, તરવાર આદિ શસ્ત્રોરૂપે
પરિણમેલાં સ્થાનો છે. એવાં શસ્ત્રોથી ભરેલી ભૂમિ છે.
કયાંય સુધી જેની ઠંડી જાય એવા, દુર્ગંધયુક્ત, બરફ
જેવા ઠંડા પહાડો છે, વિષ્ટા આદિનાં સ્થાનો કરતાં અધિક
દુર્ગંધમય છે; તે પહાડો બરછી, ભાલાં વગેરે શસ્ત્રો જેવાં
પરિણમનથી પરિણમેલા છે.
નરકની અશુચિમય કાદવ બીજા જીવોથી સહી ન શકાય
તેવી અતિ ઉગ્ર દુર્ગંધમાં નારકી જીવો રહે છે; અતિશય
પ્રતિકૂળતાના પ્રકારોમાં, અનેક શસ્ત્રોરૂપે પરિણમેલાં સ્થાનોમાં