જીવો અરસપરસ લડતા હોય છે, કયાંય તેમને શાંતિનું સ્થાન
નથી. આવી અગ્નિ, દુર્ગંધ અને શસ્ત્રોથી ભરપુર સ્થાનોમાં
નારકી જીવો નિરંતર દુઃખી હોય છે, વિલાપ કરે છે, રુદન કરે છે.
સુખની ઈચ્છાએ તે જ્યાં જાય ત્યાં દુઃખી થાય છે.
જોતી હોઉં તેવી રીતે જણાય છે.
પ્રત્યક્ષની જેમ જણાય છે; જે જણાય છે તે નિઃસંશય છે.
ઝગઝગાટ કરતાં હોય તેવાં જોવામાં આવે છે. ગુલાબી રત્નનાં,
પીળાં રત્નનાં, જાંબલી રત્નનાં, સફેદ રત્નનાં-વિવિધ રત્નનાં,
જિનેન્દ્ર ભગવાનનાં પ્રતિમાઓ છે તેમ જણાય છે, મોટાં મંદિરો
છે, મંદિરોમાં અનેક જાતનાં શિખરોની પંક્તિ છે. વિવિધ રંગનાં
રત્ને જડિત, સુવર્ણે જડિત શિખરો છે; રાતાં, ગુલાબી, સફેદ રત્ન
જડિત અનેક જાતનાં શિખરો છે. વિવિધ રત્ને જડિત અનેક