Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 92 of 272
PDF/HTML Page 104 of 284

 

background image
પ્રશ્નઃહે ભગવાન! જોકે કથંચિત્ પરિણામીપણાના બળથી, ભેદપ્રધાન
પર્યાયાર્થિકનયથી નવ પદાર્થો અને સાત તત્ત્વો સિદ્ધ થયાં, તોપણ તેમનાથી શું પ્રયોજન
છે? જેવી રીતે અભેદનયથી પુણ્ય અને પાપપદાર્થનો અંતર્ભાવ સાત તત્ત્વોમાં થયો તેવી
જ રીતે વિશેષ અભેદનયની વિવક્ષામાં આસ્રવાદિ પદાર્થોનો પણ જીવ અને અજીવ એ
બે દ્રવ્યોમાં અંતર્ભાવ કરવામાં આવતાં, જીવ અને અજીવ એ બે પદાર્થો જ સિદ્ધ થાય
છે! એ શંકાનો પરિહાર કરે છેઃ
હેય અને ઉપાદેય તત્ત્વનું પરિજ્ઞાન કરાવવારૂપ પ્રયોજન
માટે આસ્રવાદિ પદાર્થોનું વ્યાખ્યાન કરવા યોગ્ય છે. તે જ કહે છેઃ અક્ષયઅનંત સુખ
તે ઉપાદેયતત્ત્વ છે, તેનું કારણ મોક્ષ છે, મોક્ષનું કારણ સંવર અને નિર્જરાએ બે છે,
તેનું કારણ વિશુદ્ધ જ્ઞાનદર્શનસ્વભાવી નિજાત્મતત્ત્વનાં સમ્યક્ શ્રદ્ધાજ્ઞાનઅનુચરણરૂપ
લક્ષણવાળું નિશ્ચયરત્નત્રયસ્વરૂપ અને તેનું સાધક વ્યવહારરત્નત્રયરૂપ છે. હવે, હેયતત્ત્વ
કહેવામાં આવે છેઆકુળતા ઉત્પન્ન કરનારું નરકગતિ આદિનું દુઃખ અને નિશ્ચયથી
ઇન્દ્રિયજનિત સુખ હેયતત્ત્વ છે. તેનું કારણ સંસાર છે, સંસારનું કારણ આસ્રવ અને બંધ
पुण्यपापयोरास्रवपदार्थस्य, बन्धपदार्थस्य वा मध्ये अन्तर्भावविवक्षया सप्ततत्त्वानि भण्यन्ते हे
भगवन् ! यद्यपि कथंचित्परिणामित्वबलेन भेदप्रधानपर्यायार्थिकनयेन नवपदार्थाः सप्ततत्त्वानि
वा सिद्धानि तथापि तैः किं प्रयोजनम्
यथैवाभेदनयेन पुण्यपापपदार्थद्वयस्यान्तर्भावो
जातस्तथैव विशेषाभेदनयविवक्षायामास्रवादिपदार्थानामपि जीवाजीवद्वयमध्येऽन्तर्भावे कृते
जीवाजीवौ द्वावेव पदार्थाविति
तत्र परिहार :हेयोपादेयतत्त्वपरिज्ञानप्रयोजनार्थ-
मास्रवादिपदार्थाः व्याख्येया भवन्ति तदेव कथयतिउपादेयतत्त्वमक्षयानन्तसुखं, तस्य
कारणं मोक्षः, मोक्षस्य कारणं संवरनिर्जराद्वयं, तस्य कारणं विशुद्धज्ञानदर्शन-
स्वभावनिजात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणलक्षणं निश्चयरत्नत्रयस्वरूपं, तत्साधकं
व्यवहाररत्नत्रयरूपं चेति
इदानीं हेयतत्त्वं कथ्यतेआकुलत्वोत्पादकं नारकादिदुःखं
निश्चयेनेन्द्रियसुखं च हेयतत्त्वम् तस्य कारणं संसार; संसारकारणमास्रवबन्धपदार्थद्वयं, तस्य
૧. આત્માશ્રિત નિશ્ચયનય છે. [જુઓ, શ્રી સમયસાર ગાથા ૨૭૨ની શ્રી આત્મખ્યાતિ ટીકા.]
૨. અહીં, ‘સાધક’ કહ્યું છે તે ‘ભિન્ન સાધક’ના અર્થમાં સમજવું. ભિન્ન સાધ્ય
સાધનપણું છે તે વાસ્તવિક
સાધ્યસાધનપણું નથી, માત્ર ઉપચરિત છે. [જુઓ, શ્રી પંચાસ્તિકાય સંગ્રહ પૃષ્ઠ ૨૩૩ (ભિન્ન
સાધ્યસાધનભાવ); શ્રી સમયસાર ગાથા ૪૧૪ ની તાત્પર્યવૃત્તિ ટીકા [બહિરંગ સહકારી કારણ (અર્થાત્
નિમિત્ત); શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૫૩ (જે મોક્ષમાર્ગ તો નથી, પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા
સહચારી છે; તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે.)]
૯૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ