Bruhad Dravya Sangrah (Gujarati). Kaya Padarthono Karta Kon Tatha Kartutvana Vishayama Nayavibhaganu Kathan.

< Previous Page   Next Page >


Page 93 of 272
PDF/HTML Page 105 of 284

 

background image
બે પદાર્થ છે, તેનું કારણ પૂર્વોક્ત, વ્યવહાર અને નિશ્ચયરત્નત્રયથી વિલક્ષણ મિથ્યાદર્શન
જ્ઞાનચારિત્ર એ ત્રણ છે. આ રીતે હેય અને ઉપાદેયતત્ત્વનું વ્યાખ્યાન કરવામાં આવતાં
સાતતત્ત્વ અને નવપદાર્થો સ્વયમેવ સિદ્ધ થયાં.
હવે, કયા પદાર્થનો કર્તા કોણ છે તેનું કથન કરવામાં આવે છેઃનિજ નિરંજન
શુદ્ધાત્મભાવનાથી ઉત્પન્ન પરમ આનંદ જેનું એક લક્ષણ છે, તેવા સુખામૃતના રસાસ્વાદથી
પરાઙ્મુખ જીવ બહિરાત્મા કહેવાય છે; તે બહિરાત્મા આસ્રવ, બંધ અને પાપ
એ ત્રણ
પદાર્થોનો કર્તા થાય છે; અને કોઈ વખતે મિથ્યાત્વ અને કષાયનો મંદ ઉદય હોતાં ભોગોની
આકાંક્ષા આદિ નિદાનબંધથી ભાવિકાળમાં પાપાનુબંધી પુણ્યપદાર્થનો પણ કર્તા થાય છે.
જે પૂર્વોક્ત બહિરાત્માથી વિપરીત લક્ષણવાળો સમ્યગ્દ્રષ્ટિ છે તે સંવર, નિર્જરા અને
મોક્ષ
એ ત્રણ પદાર્થોનો કર્તા થાય છે; જ્યારે તે રાગાદિ વિભાવરહિત પરમસામાયિકમાં
સ્થિર થવાને શક્તિમાન ન હોય ત્યારે વિષય - કષાયોથી ઉત્પન્ન દુર્ધ્યાનથી બચવા માટે,
સંસારની સ્થિતિનો છેદ કરતો પુણ્યાનુબંધી તીર્થંકર નામકર્મની પ્રકૃતિ વગેરે વિશિષ્ટ
પુણ્યપદાર્થનો પણ કર્તા થાય છે.
હવે, કર્તૃત્વના વિષયમાં નયવિભાગનું કથન કરે છેઃ મિથ્યાદ્રષ્ટિ જીવને
પુદ્ગલદ્રવ્યના પર્યાયરૂપ આસ્રવ, બંધ, પુણ્ય અને પાપપદાર્થોનું કર્તાપણું
कारणं पूर्वोक्तव्यवहारनिश्चयरत्नत्रयाद्विलक्षणं मिथ्यादर्शनज्ञानचारित्रयमिति एवं
हेयोपादेयतत्त्वव्याख्याने कृते सति सप्ततत्त्वनवपदार्थाः स्वयमेव सिद्धाः
इदानीं कस्य पदार्थस्य कः कर्त्तेति कथ्यतेनिजनिरञ्जनशुद्धात्मभावनोत्पन्न-
परमानन्दैकलक्षणसुखामृतरसास्वादपराङ्मुखो बहिरात्मा भण्यते स चास्रवबन्धपापपदार्थत्रयस्य
कर्ता भवति क्वापि काले पुनर्मन्दमिथ्यात्वमन्दकषायोदये सति भोगाकांक्षादिनिदानबंधेन
भाविकाले पापानुबंधिपुण्यपदार्थस्यापि कर्त्ता भवति यस्तु पूर्वोक्तबहिरात्मनो विलक्षणः
सम्यग्दृष्टिः स संवरनिर्जरामोक्षपदार्थत्रयस्य कर्त्ता भवति रागादिविभावरहितपरमसामायिके
यदा स्थातुं समर्थो न भवति तदा विषयकषायोत्पन्नदुर्ध्यानवञ्चनार्थं संसारस्थितिच्छेदं कुर्वन्
पुण्यानुबंधितीर्थंकरनामप्रकृत्यादिविशिष्ट पुण्यपदार्थस्यापि कर्ता भवति
कर्तृत्वविषये
नयविभागः कथ्यते मिथ्यादृष्टेर्जीवस्य पुद्गलद्रव्यपर्यायरूपाणामास्रवबंधपुण्यपापपदार्थानां
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૯૩
૧. જુઓઃશ્રી સમયસાર ગાથા ૨૭૨ ની આત્મખ્યાતિ ટીકા. (પરાશ્રિત વ્યવહારનય છે.); શ્રી
સમયસાર ગાથા ૨૭૨ ની તાત્પર્યવૃત્તિ ટીકામાં ઉત્થાનિકા (પરમઅભેદરત્નત્રયાત્મક
નિર્વિકલ્પસમાધિરૂપ નિશ્ચયનય વડે વિકલ્પાત્મક વ્યવહારનય ખરેખર બાધિત કરવામાં આવે છે.)