Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 30 : Bhavashravanu Visheshapane Kathan.

< Previous Page   Next Page >


Page 98 of 272
PDF/HTML Page 110 of 284

 

background image
છે.) ‘પર’ શબ્દનો શો અર્થ છે? ‘ભાવાસ્રવથી અન્ય, ભિન્ન.’ ભાવાસ્રવના નિમિત્તે, તેલ
ચોપડેલ પદાર્થોને ધૂળ ચોંટે છે તેમ, જીવને દ્રવ્યાસ્રવ થાય છે.
શંકાઃખરેખર ‘आस्रवति येन कर्म’‘જેનાથી કર્મનો આસ્રવ થાય છે’ એ
પદથી જ દ્રવ્યાસ્રવની વાત આવી ગઈ, તો પછી ‘कम्मासवणं परो होदि’કર્માસ્રવ બીજો
હોય છે’એ પદથી દ્રવ્યાસ્રવનું વ્યાખ્યાન શા માટે કર્યું? સમાધાનઃતમારી શંકા
યોગ્ય નથી. કેમકે ‘જે પરિણામથી; શું થાય છે? કર્મનો આસ્રવ થાય છે;’ એવું જે કથન
છે તેનાથી પરિણામનું સામર્થ્ય બતાવ્યું છે, દ્રવ્યાસ્રવનું વ્યાખ્યાન કર્યું નથી. આમ, તાત્પર્ય
છે. ૨૯.
હવે, ભાવાસ્રવનું સ્વરૂપ વિશેષપણે કહે છેઃ
ગાથા ૩૦
ગાથાર્થઃપહેલાના (ભાવાસ્રવના) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, યોગ અને
ક્રોધાદિ કષાય એટલા ભેદ જાણવા. તેમાંથી મિથ્યાત્વ આદિના અનુક્રમે પાંચ, પાંચ, પંદર,
ત્રણ અને ચાર ભેદ છે.
कोऽर्थः ? भावास्रवादन्यो भिन्नो भावास्रवनिमित्तेन तैलमृक्षितानां धूलिसमागम इव द्रव्यास्रवो
भवतीति ननु ‘‘आस्रवति येन कर्म’’ तेनैव पदेन द्रव्यास्रवो लब्धः, पुनरपि कर्मास्रवणं
परो भवतीति द्रव्यास्रवव्याख्यानं किमर्थमिति यदुक्तं त्वया ? तन्न येन परिणामेन किं भवति
आस्रवति कर्म, तत्परिणामस्य सामर्थ्यं दर्शितं, न च द्रव्यास्रवव्याख्यानमिति भावार्थः ।।२९।।
अथ भावास्रवस्वरूपं विशेषेण कथयति :
मिच्छत्ताविरदपमादजोगकोधादओऽथ विण्णेया
पण पण पणदस तिय चदु कमसो भेदा दु पुव्वस्स ।।३०।।
मिथ्यात्वाविरतिप्रमादयोगक्रोधादयः अथ विज्ञेयाः
पञ्च पञ्च पञ्चदश त्रयः चत्वारः क्रमशः भेदाः तु पूर्वस्य ।।३०।।
મિથ્યા અવિરત ઔ પરમાદ, યોગ કષાય તણૂં ઉન્માદ;
પાંચપાંચ પણદસ તિય ચ્યારિ, ભાવાસ્રવકે ભેદ કહારિ. ૩૦.
૯૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ