ટીકાઃ — ‘‘मिच्छत्ताविरदिपमादजोगकोधादआે’’ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, યોગ
અને ક્રોધાદિ કષાય આસ્રવના ભેદ છે. અંતરંગમાં જે વીતરાગ નિજાત્મતત્ત્વની
અનુભૂતિ અને રુચિ વિષે વિપરીત અભિનિવેશ ઉત્પન્ન કરાવે છે અને બહારમાં
અન્યના શુદ્ધાત્મતત્ત્વ વગેરે સમસ્ત દ્રવ્યોમાં વિપરીત અભિનિવેશ ઉત્પન્ન કરાવે છે;
તેને મિથ્યાત્વ કહે છે.
અંતરંગમાં નિજ પરમાત્મસ્વરૂપની ભાવનાથી ઉત્પન્ન પરમ સુખામૃતમાં જે
રતિ ( – લીનતા) તેનાથી વિલક્ષણ અને બાહ્ય - વિષયમાં અવ્રતરૂપ (અર્થાત્ વ્રત ધારણ
ન કરવાનો ભાવ) તે અવિરતિ છે.
અંતરંગમાં પ્રમાદરહિત શુદ્ધાત્માની અનુભૂતિમાં ચલનરૂપ (ચળપણારૂપ) અને
બાહ્ય - વિષયમાં મૂળ અને ઉત્તરગુણોમાં મળ ઉત્પન્ન કરનાર તે પ્રમાદ છે.
નિશ્ચયથી પરમાત્મા નિષ્ક્રિય છે, તોપણ તેને વ્યવહારથી વીર્યાન્તરાયકર્મના
ક્ષયોપશમથી ઉત્પન્ન એવો, મન - વચન - કાયવર્ગણાને અવલંબનારો, કર્મવર્ગણાનું ગ્રહણ
કરવામાં હેતુભૂત એવો આત્મપ્રદેશોનો જે પરિસ્પંદ હોય છે; તેને યોગ કહેવાય છે.
અંતરંગમાં પરમ – ઉપશમમૂર્તિ, કેવળજ્ઞાનાદિ અનંતગુણસ્વભાવી પરમાત્મ-
સ્વરૂપમાં ક્ષોભ ઉત્પન્ન કરનાર અને બાહ્ય - વિષયમાં અન્ય પદાર્થોના સંબંધથી ક્રૂરતા
આદિ આવેશરૂપ, તે ક્રોધાદિ – કષાય છે.
એ રીતે, ઉપર કહેલા લક્ષણવાળા પાંચ આસ્રવો છે. ‘अथ’ હવે,
व्याख्या — ‘‘मिच्छत्ताविरदिपमादजोगकोधादओ’’ मिथ्यात्वाविरतिप्रमादयोगक्रोधादयः ।
अभ्यन्तरे वीतरागनिजात्मतत्त्वानुभूतिरुचिविषये विपरीताभिनिवेशजनकं बहिर्विषये तु
परकीयशुद्धात्मतत्त्वप्रभृतिसमस्तद्रव्येषु विपरीताभिनिवेशोत्पादकं च मिथ्यात्वं भण्यते ।
अभ्यन्तरे निजपरमात्मस्वरूपभावनोत्पन्नपरमसुखामृतरतिविलक्षणा बहिर्विषये पुनरव्रतरूपा
चेत्यविरतिः । अभ्यन्तरे निष्प्रमादशुद्धात्मानुभूतिचलनरूपः, बहिर्विषये तु मूलोत्तरगुणमल-
जनकश्चेति प्रमादः । निश्चयेन निष्क्रियस्यापि परमात्मनो व्यवहारेण वीर्यान्तरायक्षयोपशमोत्पन्नो
मनोवचनकायवर्गणावलम्बनः कर्मादानहेतुभूत आत्मप्रदेशपरिस्पन्दो योग इत्युच्यते । अभ्यन्तरे
परमोपशममूर्तिकेवलज्ञानाद्यनन्तगुणस्वभावपरमात्मस्वरूपक्षोभकारकाः बहिर्विषये तु परेषां
संबंधित्वेन क्रूरत्वाद्यावेशरूपाः क्रोधादयश्चेत्युक्तलक्षणाः पञ्चास्रवाः । ‘‘अथ’’ अथो
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૯૯