Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 34 : Kshayopashamanu Lakshan.

< Previous Page   Next Page >


Page 111 of 272
PDF/HTML Page 123 of 284

 

background image
જ્ઞાન) ક્ષાયોપશમિક જ છે. જો નેત્રપટલના એકદેશ નિરાવરણની જેમ (અર્થાત્ નેત્રપટલ
થોડું ખુલ્લું હોય તેની માફક) કેવળજ્ઞાનના અંશરૂપ તે જ્ઞાન હોય તો તે એકદેશથી
પણ લોકાલોકનું પ્રત્યક્ષપણું થાત; પણ એમ તો જોવામાં આવતું નથી. પરંતુ ખૂબ
વાદળાંઓથી આચ્છાદિત સૂર્યના બિંબની જેમ અથવા નિબિડ નેત્રપટલની જેમ તે
નિગોદિયાનું જ્ઞાન થોડું જાણે છે, એમ તાત્પર્ય છે.
હવે, ક્ષયોપશમનું લક્ષણ કહે છેસર્વ પ્રકારે આત્માના ગુણોનું આચ્છાદન કરનાર
કર્મની શક્તિઓને ‘સર્વઘાતી સ્પર્દ્ધકો’ કહે છે અને વિવક્ષિત એકદેશથી આત્માના ગુણોનું
આચ્છાદન કરનાર કર્મની શક્તિઓને ‘દેશઘાતી સ્પર્દ્ધકો’ કહે છે. સર્વઘાતી સ્પર્દ્ધકોના
ઉદયના અભાવને જ ક્ષય અને તેમની જ સત્રૂપ અવસ્થાને ઉપશમ કહે છે. સર્વઘાતી
સ્પર્દ્ધકોનો ઉદયાભાવી ક્ષય સહિત ઉપશમ અને તેમના એકદેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય
એ રીતે એ ત્રણેના સમુદાયથી ક્ષયોપશમ કહેવામાં આવે છે. ક્ષયોપશમમાં હોય તેને
ક્ષાયોપશમિકભાવ કહે છે અથવા દેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય હોતાં જીવ એકદેશ જ્ઞાનાદિ
ગુણ પ્રાપ્ત કરે છે, તે ક્ષાયોપશમિક ભાવ છે. તેનાથી શું સિદ્ધ થયું? પૂર્વોક્ત સૂક્ષ્મનિગોદના
જીવમાં જ્ઞાનાવરણકર્મના દેશઘાતી સ્પર્દ્ધકોનો ઉદય હોતાં એકદેશે જ્ઞાનગુણ પ્રાપ્ત હોય છે
તે કારણે તે ક્ષાયોપશમિકજ્ઞાન છે, ક્ષાયિકજ્ઞાન નથી. શા માટે? કારણ કે, ત્યાં કર્મના
એકદેશ ઉદયનો સદ્ભાવ છે.
पुनर्लोचनपटलस्यैकदेशनिरावरणवत्केवलज्ञानांशरूपं भवति तर्हि तेनैकदेशेनापि
लोकालोकप्रत्यक्षतां प्राप्नोति, न च तथा दृश्यते
किन्तु प्रचुरमेघप्रच्छादितादित्यबिम्ब-
वन्निविडलोचनपटलवद्वा स्तोकं प्रकाशयतीत्यर्थः
अय क्षयोपशमलक्षणं कथ्यतेसर्वप्रकारेणात्मगुणप्रच्छादिकाः कर्मशक्तयः
सर्वघातिस्पर्द्धकानि भण्यन्ते, विवक्षितैकदेशेनात्मगुणप्रच्छादिकाः शक्तयो देशघातिस्पर्द्धकानि
भण्यन्ते, सर्वघातिस्पर्द्धकानामुदयाभाव एव क्षयस्तेषामेवास्तित्वमुपशम उच्यते
सर्वघात्युदयाभावलक्षणक्षयेण सहित उपशमः तेषामेकदेशघातिस्पर्द्धकानामुदयश्चेति समुदायेन
क्षयोपशमो भण्यते
क्षयोपशमे भवः क्षायोपशमिको भावः अथवा देशघातिस्पर्द्धकोदये सति
जीव एकदेशेन ज्ञानादिगुणं लभते यत्र स क्षायोपशमिको भावः तेन किं सिद्धं ?
पूर्वोक्तसूक्ष्मनिगोदजीवे ज्ञानावरणीयदेशघातिस्पर्द्धकोदये सत्येकदेशेन ज्ञानगुणं लभ्यते तेन
कारणेन तत् क्षायोपशमिकं ज्ञानं, न च क्षायिकं, कस्मादेकदेशोदयसद्भावादिति
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૧૧