Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Sanvarana Karanona Bhedanu Kathan.

< Previous Page   Next Page >


Page 112 of 272
PDF/HTML Page 124 of 284

 

background image
અહીં, સારાંશ આ છેઃજોકે પૂર્વોક્ત શુદ્ધોપયોગલક્ષણવાળું ક્ષાયોપશમિકજ્ઞાન
મુક્તિનું કારણ થાય છે, તોપણ ધ્યાન કરનાર પુરુષે ‘નિત્ય સકળ નિરાવરણ, અખંડ, એક,
સમ્પૂર્ણ નિર્મળ કેવળજ્ઞાન જેનું લક્ષણ છે; એવું પરમાત્મસ્વરૂપ તે જ હું છું, ખંડજ્ઞાનરૂપ
નહિ’
એવી ભાવના કરવી.
એ રીતે, સંવર પદાર્થના વ્યાખ્યાનમાં નયવિભાગ જાણવો. ૩૪.
હવે, સંવરનાં કારણોના ભેદ કહે છે
એમ એક ભૂમિકા છે, ‘શેનાથી (કોનાથી)
સંવર થાય છે?’ એવો પ્રશ્ન પૂછવામાં આવતાં પ્રત્યુત્તર આપે છેએમ બીજી ભૂમિકા
છે. એ બન્ને ભૂમિકાઓ મનમાં ધારણ કરીને ભગવાન શ્રી નેમિચન્દ્ર આચાર્ય આ ગાથા
કહે છેઃ
ગાથા ૩૫
ગાથાર્થઃવ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને અનેક પ્રકારનું
ચારિત્રએ બધાને ભાવસંવરના ભેદ જાણવા.
अयमत्रार्थःयद्यपि पूर्वोक्तं शुद्धोपयोगलक्षणं क्षायोपशमिकं ज्ञानं मुक्तिकारणं भवति
तथापि ध्यातृपुरुषेण यदेव नित्यसकलनिरावरणमखण्डैक सकलविमलकेवलज्ञानलक्षणं
परमात्मस्वरूपं तदेवाहं, न च खण्डज्ञानरूप, इति भावनीयम्
इति संवरतत्त्वव्याख्यानविषये
नयविभागो ज्ञातव्य इति ।।३४।।
अथ संवरकारणभेदान् कथयतीत्येका पातनिका, द्वितीया तु कैः कृत्वा संवरो
भवतीति पृष्टे प्रत्युत्तरं ददातीति पातनिकाद्वयं मनसि धृत्वा सूत्रमिदं प्रतिपादयति भगवान्
वदसमिदीगुत्तीओ धम्माणुपेहा परीसहजओ य
चारित्तं बहुभेया णायव्वा भावसंवरविसेसा ।।३५।।
व्रतसमितिगुप्तयः धर्म्मानुप्रेक्षाः परीषहजयः च
चारित्रं बहुभेदं ज्ञातव्याः भावसंवरविशेषाः ।।३५।।
વ્રત અરુ સમિતિ ગુપ્તિ દશ ધર્મ, અનુપ્રેક્ષા ચારિત્ર જુ પર્મ;
સહન પરિષહ, એ બહુભેદ, સંવરભાવ ભનૈં જિનદેવ. ૩૫.
૧૧૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ