Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Sansar Anupreksha.

< Previous Page   Next Page >


Page 119 of 272
PDF/HTML Page 131 of 284

 

background image
આવેલાને વજ્રના પાંજરા જેવો નિજ શુદ્ધાત્મા તે પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે અશરણ
અનુપ્રેક્ષાનું વ્યાખ્યાન કર્યું. ૨.
હવે, સંસાર અનુપ્રેક્ષા કહેવામાં આવે છેશુદ્ધાત્મદ્રવ્યથી ભિન્ન પૂર્વે મેળવેલાં, પૂર્વે
નહિ મેળવેલાં અને મિશ્ર એવાં પુદ્ગલ દ્રવ્યો, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મરૂપે તથા શરીરના
પોષણને માટે ભોજન, પાન વગેરે પાંચે ઇન્દ્રિયના વિષયરૂપે આ જીવે અનંતવાર ગ્રહણ
કરીને છોડ્યાં છે
એ ‘દ્રવ્યસંસાર’ છે. સ્વ - શુદ્ધાત્મદ્રવ્ય સંબંધી સહજ શુદ્ધ
લોકાકાશપ્રમાણ અસંખ્ય પ્રદેશોથી ભિન્ન જે લોકાકાશના પ્રદેશો છે, તેમાં એકેક પ્રદેશને
વિષે વ્યાપીને જ્યાં અનંતવાર આ જીવ જન્મ્યો કે મર્યો ન હોય, એવો કોઈ પણ પ્રદેશ
નથી
તે ‘ક્ષેત્રસંસાર’ છે. સ્વશુદ્ધાત્માના અનુભવરૂપ નિર્વિકલ્પ સમાધિનો કાળ છોડીને
દસ ક્રોડાક્રોડી સાગરપ્રમાણ ઉત્સર્પિણી કાળ અને દસ ક્રોડાક્રોડી સાગરપ્રમાણ અવસર્પિણી
કાળના એક એક સમયમાં અનેક પરાવર્તન કરીને, જેમાં અનંતવાર આ જીવ જન્મ્યો કે
મર્યો ન હોય, એવો કોઈ પણ સમય નથી
એ ‘કાળસંસાર’ છે. અભેદ રત્નત્રયાત્મક
સમાધિના બળથી સિદ્ધગતિમાં નિજાત્માની ઉપલબ્ધિ જેનું લક્ષણ છે, એવા સિદ્ધ પર્યાયરૂપ
જે ઉત્પાદ
તેને છોડીને નરક, તિર્યંચ અને મનુષ્યભવમાં તથા દેવના ભવોમાં
નિશ્ચયરત્નત્રયની ભાવનારહિત, ભોગાકાંક્ષાનિદાનપૂર્વક દ્રવ્ય - તપશ્ચરણરૂપ જિનદીક્ષાના
બળથી નવ ગ્રૈવેયક સુધી, ‘सक्को सहग्गमहिस्सी दक्खिणइंदा य लोयवाला य लोयंतिया य देवा
शरणागतवज्रपञ्जरसदृशं निजशुद्धात्मानं प्राप्नोति इत्यशरणानुप्रेक्षा व्याख्याता ।।।।
अथ संसारानुप्रेक्षा कथ्यतेशुद्धात्मद्रव्यादितराणि सपूर्वापूर्वमिश्रपुद्गलद्रव्याणि
ज्ञानावरणादिद्रव्यकर्मरूपेण, शरीरपोषणार्थाशनपानादिपञ्चेन्द्रियविषयरूपेण चानन्तवारान्
गृहीत्वा विमुक्तानीति द्रव्यसंसारः
स्वशुद्धात्मद्रव्यसंबन्धिसहजशुद्धलोकाकाशप्रमिता-
संख्येयप्रदेशेभ्यो भिन्ना ये लोकक्षेत्रप्रदेशास्तत्रैकैकं प्रदेशं व्याप्यानन्तवारान् यत्र न जातो न
मृतोऽयं जीवः स कोऽपि प्रदेशो नास्तीति क्षेत्रसंसारः
स्वशुद्धात्मानुभूति-
रूपनिर्विकल्पसमाधिकालं विहाय प्रत्येकंदशकोटाकोटिसागरोपमप्रमितोत्सर्पिण्यव-
सर्पिण्येकैकसमये नानापरावर्त्तनकालेनानन्तवारानयं जीवो यत्र न जातो न मृतः स समयो
नास्तीति कालसंसारः
अभेदरत्नत्रयात्मकसमाधिकालेन सिद्धगतौ स्वात्मोपलब्धिलक्षण-
सिद्धपर्यायरूपेण योऽसावुत्पादो भवस्तं विहाय नारकतिर्यग्गमनुष्यभवेषु तथैव देव-
भवेषु च निश्चयरत्नत्रयभावनारहितभोगाकांक्षानिदानपूर्वकद्रव्यतपश्चरणरूपजिनदीक्षाबलेन
नवग्रैवेयकपर्यन्तं, ‘‘सबको सहग्गमहिस्सी दक्खिणइंदा य लोयवाला य
लोयंतिया य देवा
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૧૯