Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Anyatva Anupreksha.

< Previous Page   Next Page >


Page 124 of 272
PDF/HTML Page 136 of 284

 

background image
પછી પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. કહ્યું છે કેઃ‘તપ કરવાથી સ્વર્ગ સૌ કોઈ
મેળવે છે, પરંતુ ધ્યાનના યોગથી જે સ્વર્ગ પામે છે તે આગામી ભવમાં અક્ષય સુખ પામે
છે.’ આ રીતે એકત્વભાવનાનું ફળ જાણીને નિરંતર નિજ શુદ્ધાત્માના એકત્વની ભાવના
કરવી.
આમ, ‘એકત્વઅનુપ્રેક્ષા’ પૂર્ણ થઈ. ૪.
હવે, અન્યત્વઅનુપ્રેક્ષા કહે છે. તે આ પ્રમાણેપૂર્વોક્ત દેહ, સગાંઓ,
સુવર્ણાદિ અર્થ અને ઇન્દ્રિયસુખાદિ કર્મોને આધીન હોવાથી, વિનશ્વર તેમ જ હેય પણ
છે. તે બધાં, જે ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવપણાને લીધે નિત્ય અને સર્વ પ્રકારે
ઉપાદેયભૂત છે એવા, નિર્વિકાર પરમચૈતન્યરૂપ ચિત્ચમત્કારસ્વભાવવાળા નિજ
પરમાત્મપદાર્થથી નિશ્ચયનયે અન્ય
ભિન્ન છે, આત્મા પણ તેમનાથી અન્યભિન્ન છે.
અહીં, ભાવ (આશય) એમ છે કેએકત્વઅનુપ્રેક્ષામાં ‘‘હું એક છું’’ ઇત્યાદિ પ્રકારે
વિધિરૂપ વ્યાખ્યાન છે અને અન્યત્વઅનુપ્રેક્ષામાં ‘દેહાદિ પદાર્થો મારાથી ભિન્ન છે,
મારા નથી’એમ નિષેધરૂપે વ્યાખ્યાન છે. એ રીતે એકત્વ અને અન્યત્વ એ બન્ને
અનુપ્રેક્ષાઓમાં વિધિ અને નિષેધરૂપ જ અંતર છે; બન્નેનું તાત્પર્ય એક જ છે.
मोक्षं प्रापयतीत्यर्थः तथा चोक्तम्‘‘सग्गं तवेण सव्वो, वि पावए तहि वि झाणजोयेण
जो पावइ सो पावइ, परलोए सासयं सोक्खं ’’ एवमेकत्वभावनाफलं ज्ञात्वा निरन्तरं
निजशुद्धात्मैकत्वभावना कर्तव्या इत्येकत्वानुप्रेक्षा गता ।।।।
अथान्यत्वानुप्रेक्षां कथयति तथा हिपूर्वोक्तानि यानि देहबन्धुजन-
सुवर्णाद्यर्थेन्द्रियसुखादीनि कर्माधीनत्वे विनश्वराणि तथैव हेयभूतानि च, तानि सर्वाणि
टङ्कोत्कीर्णज्ञायकैकस्वभावत्वेन नित्यात्सर्वप्रकारोपादेयभूतान्निर्विकारपरमचैतन्यचिच्चमत्कार-
स्वभावान्निजपरमात्मपदार्थान्निश्चयनयेनान्यानि भिन्नानि
तेभ्यः पुनरात्माप्यन्यो भिन्न इति
अयमत्र भावःएकत्वानुप्रेक्षायामेकोऽहमित्यादिविधिरूपेण व्याख्यानं, अन्यत्वानुप्रेक्षायां तु
देहादयो मत्सकाशादन्ये, मदीया न भवन्तीति निषेधरूपेण इत्येकत्वान्यत्वानुप्रेक्षायां
विधिनिषेधरूप एव विशेषस्तात्पर्यं तदेव इत्यन्यत्वानुप्रेक्षा समाप्ता ।।।।
૧. મોક્ષપાહુડ ગાથા. ૨૩.
૨. પરપદાર્થો આત્માથી અન્ય છે
ભિન્ન છે અને આશ્રય કરવા યોગ્ય નથી. પરપદાર્થોમાં નિમિત્ત પણ
આવી જાય છે, તેમની સન્મુખતાથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, માટે તે હેય છે અર્થાત્ આત્મસન્મુખતા
વડે તેમની સન્મુખતા (તેમનો આશ્રય) છોડવા યોગ્ય છે. સર્વ પ્રકારે ઉપાદેયભૂત એવા નિજ પરમાત્મ-
પદાર્થનો આશ્રય થતાં પર પદાર્થનો આશ્રય છૂટી જાય છે એટલે કે, તેઓ હેયરૂપ થઈ જાય છે.
૧૨૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ