Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Ashuchi Anupreksha.

< Previous Page   Next Page >


Page 125 of 272
PDF/HTML Page 137 of 284

 

background image
રીતે ‘અન્યત્વઅનુપ્રેક્ષા’ સમાપ્ત થઈ. ૫.
હવે પછી, અશુચિઅનુપ્રેક્ષા કહેવામાં આવે છે. તે આ રીતેસર્વ પ્રકારે
અશુચિ (અપવિત્ર) વીર્ય અને રજથી ઉત્પન્ન થવાને કારણે, તેમજ ‘‘वसासृग्मांसमेदोऽस्थि-
मज्जाशुक्राणि धातवः (વસા, રુધિર, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને શુક્રએ ધાતુઓ
છે)’’ એમાં કહેલી અશુચિ સાત ધાતુમય હોવાથી તથા નાક આદિ નવ છિદ્રદ્વાર
હોવાથી સ્વરૂપથી પણ અશુચિ હોવાને કારણે, તથા મૂત્ર, વિષ્ટા આદિ અશુચિ મળોની
ઉત્પત્તિનું સ્થાન હોવાને કારણે આ દેહ અશુચિ છે. માત્ર તે અશુચિનું કારણ હોવાથી
જ અશુચિ નથી, પણ સ્વરૂપથી અશુચિને ઉત્પન્ન કરનાર હોવાથી તે અશુચિ છે; શુચિ
(પવિત્ર) એવાં સુગંધી માળા, વસ્ત્ર વગેરેમાં અશુચિપણું ઉત્પન્ન કરતો હોવાથી પણ દેહ
અશુચિ છે.
હવે, શુચિત્વનું (પવિત્રતાનું) કથન કરવામાં આવે છેઃસહજ શુદ્ધ કેવળજ્ઞાનાદિ
ગુણોનો આધારભૂત હોવાથી અને પોતે જ નિશ્ચયથી શુચિરૂપ હોવાથી પરમાત્મા જ શુચિ
છે.
‘जीवो ब्रह्मा जीवह्नि चेव चरिया हविज्ज जो जदिणो तं जाण बह्मचेरं विमुक्कपरदेह भत्तीए ।।
(જીવ બ્રહ્મ છે, જીવમાં જ મુનિની જે ચર્યા હોય છે તેને પર એવા દેહની સેવા રહિત
બ્રહ્મચર્ય જાણો.)’
એ ગાથામાં કહેલ નિર્મળ બ્રહ્મચર્ય, તે નિજ પરમાત્મામાં સ્થિત
अतः परं अशुचित्वानुप्रेक्षा कथ्यते तद्यथासर्वाशुचिशुक्रशोणितकारणोत्पन्नत्वात्तथैव
‘‘वसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्राणि धातवः’’ इत्युक्ताशुचिसप्तधातुमयत्वेन तथा
नासिकादिनवरन्ध्रद्वारैरपि स्वरूपेणाशुचित्वात्तथैव मूत्रपुरीषाद्यशुचिमलानामुत्पत्तिस्थानत्वाच्चा-
शुचिरयं देहः
न केवलमशुचिकारणत्वेनाशुचिः स्वरूपेणाशुच्युत्पादकत्वेन चाशुचिः, शुचि
सुगन्धमाल्यवस्त्रादीनामशुचित्वोत्पादकत्वाच्चाशुचिः इदानीं शुचित्वं कथ्यते
सहजशुद्धकेवलज्ञानादिगुणानामाधारभूतत्वात्स्वयं निश्चयेन शुचिरूपत्वाच्च परमात्मैव शुचिः
‘‘जीवो बह्मा जीवह्नि चेव चरिया हविज्ज जो जदिणो तं जाण बह्मचेरं
विमुक्कपरदेहभत्तीए ’’ इति गाथाकथितनिर्मलब्रह्मचर्यं तत्रैव निजपरमात्मनि स्थितानामेव
૧. આત્મા અને પરપદાર્થો પરસ્પર ભિન્ન અને અન્ય હોવાથી દરેકના છએ કારકો પરસ્પર સર્વથા ભિન્ન
છે, તેનો અર્થ એ થયો કેકોઈ પરનું કાંઈ કરી શકતું નથી. જુઓ, ગાથા ૮ ની ટીકા પા. ૨૭
માટે સર્વ પ્રકારે ઉપાદેયભૂત નિજ ત્રિકાળ પરમાત્મપદાર્થ સન્મુખ થઈ આત્મામાં એકત્વરૂપે પરિણમવું
તે એકત્વભાવના છે. તે શુદ્ધ પરિણમનમાં અન્ય
ભિન્ન પદાર્થો (જેમાં નિમિત્ત પણ સમાવિષ્ટ છે)નો
નિષેધહેયપણું આવી જાય છે, તે હેયપણાને અન્યત્વ ભાવના કહે છે.
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૨૫