Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Ashrav Anupreksha.

< Previous Page   Next Page >


Page 126 of 272
PDF/HTML Page 138 of 284

 

background image
જીવોને જ હોય છે. તેમ જ ‘ब्रह्मचारी सदा शुचिः (બ્રહ્મચારી સદા શુચિ છે)’ એ વચનથી
તે પ્રકારના બ્રહ્મચારીઓને જ શુચિપણું છે, કામક્રોધાદિમાં રત રહેનારાઓને જળસ્નાન
આદિથી શુદ્ધિ કરવા છતાં પણ શુચિપણું નથી. એ જ રીતે કહ્યું છે કે‘‘જન્મથી શૂદ્ર
હોય છે, ક્રિયાથી દ્વિજ કહેવાય છે, શ્રુતવડે શ્રોત્રિય અને બ્રહ્મચર્ય વડે બ્રાહ્મણ
જાણવો.’’૧. એ વચન પ્રમાણે તેઓ જ નિશ્ચયશુદ્ધ (વાસ્તવિક શુદ્ધ) બ્રાહ્મણ છે. એવી
રીતે નારાયણે યુધિષ્ઠિરને કહ્યું છે કે, વિશુદ્ધ આત્મારૂપી નદીમાં સ્નાન કરવું તે જ પરમ
શુચિતાનું કારણ છે, લૌકિક ગંગા વગેરે તીર્થોમાં સ્નાનાદિ તે શુચિનું કારણ નથીઃ
‘आत्मा
नदी संयमतोयपूर्णा सत्यावहा शीलतटा दयोर्मिः तत्राभिषेकं कुरु पाण्डुपुत्र न वारिणा
शुद्ध्यति चान्तरात्मा ।। (સંયમરૂપી જળથી ભરેલી, સત્યરૂપી પ્રવાહવાળી, શીલરૂપી
કિનારાવાળી અને દયારૂપી તરંગોથી ભરેલી જે આત્મનદી છે, તેમાં હે પાંડુપુત્ર!
સ્નાન કરો; અંતરાત્મા જળથી શુદ્ધ થતો નથી.)’
એ પ્રમાણે ‘અશુચિત્વઅનુપ્રેક્ષા’ પૂરી
થઈ. ૬.
હવે, આગળ આસ્રવ-અનુપ્રેક્ષા કહેવામાં આવે છેઃ‘સમુદ્રમાં છિદ્રવાળી નાવની
જેમ આ જીવ ઇન્દ્રિયાદિ આસ્રવોથી સંસારરૂપી સાગરમાં પડે છે’ એ વાર્તિક છે. અતીન્દ્રિય
સ્વશુદ્ધાત્મસંવેદનથી વિલક્ષણ સ્પર્શન, રસના, ઘ્રાણ, ચક્ષુ અને કર્ણ
એ પાંચ ઇન્દ્રિયો છે.
लभ्यते तथैव ‘‘ब्रह्मचारी सदा शुचिः’’ इतिवचनात्तथाविधब्रह्मचारिणामेव शुचित्वं न च
कामक्रोधादिरतानां जलस्नानादिशौचेऽपि तथैव च‘‘जन्मना जायते शूद्रः क्रियया द्विज
उच्यते श्रुतेन श्रोत्रियो ज्ञेयो ब्रह्मचर्येण ब्राह्मणः ’’ इतिवचनात्त एव निश्चयशुद्धाः
ब्राह्मणाः तथा चोक्तं नारायणेन युधिष्ठिरं प्रति विशुद्धात्मनदीस्नानमेव परमशुचित्वकारणं,
न च लौकिकगङ्गादितीर्थेस्नानादिकम् ‘‘आत्मा नदी संयमतोयपूर्णा सत्यावहा शीलतटा
दयोर्मिः तत्राभिषेकं कुरु पाण्डुपुत्र न वारिणा शुद्ध्यति चान्तरात्मा ’’ इत्यशुचित्वानुप्रेक्षा
गता ।।।।
अत ऊर्ध्वमास्रवानुप्रेक्षा कथ्यते समुद्रे सच्छिद्रपोतवदयं जीव इन्द्रियाद्यास्रवैः
संसारसागरे पततीति वार्त्तिकम् अतीन्द्रियस्वशुद्धात्मसंवित्तिविलक्षणानि स्पर्शनरसनघ्राणचक्षुः
૧. શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત દ્વાદશઅનુપ્રેક્ષા ગાથા ૬૦ માં કહ્યું છે કેઃઆસ્રવના જે ભેદો કહેવામાં
આવ્યા છે, તે નિશ્ચયનયથી જીવના નથી, માટે આત્માને બન્ને પ્રકારના આસ્રવોથી રહિત જ નિરંતર
ચિંતવવો જોઈએ.
૧૨૬ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ