Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 35 : Jyotishlokanu Varnan.

< Previous Page   Next Page >


Page 150 of 272
PDF/HTML Page 162 of 284

 

background image
કર્મભૂમિ અને ચોથો કાળ રહે છે, પરંતુ ત્યાં મનુષ્યો નથી. આ રીતે તિર્યક્લોકના તથા
તેના મધ્યભાગમાં આવેલા મનુષ્ય લોકના પ્રતિપાદન વડે સંક્ષેપમાં મધ્યમલોકનું વ્યાખ્યાન
સમાપ્ત થયું. મનુષ્યલોકમાં ત્રણસો અઠાણું અને તિર્યક્લોકમાં નન્દીશ્વરદ્વીપ, કુંડલદ્વીપ અને
રુચકદ્વીપમાં ક્રમશઃ બાવન, ચાર અને ચાર અકૃત્રિમ, સ્વતંત્ર જિનગૃહો જાણવાં.
હવે પછી જ્યોતિષ્ક લોકનું વર્ણન કરે છે. તે આ પ્રમાણેચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રો
અને પ્રકીર્ણક તારા; એ રીતે જ્યોતિષી દેવ પાંચ પ્રકારના છે. તેમાંથી આ મધ્યલોકના
પૃથ્વીતળથી સાતસો નેવું યોજન ઉપર આકાશમાં તારાનાં વિમાનો છે, તેનાથી દશ યોજન
ઉપર સૂર્યનાં વિમાનો છે, તેનાથી એંસી યોજન ઉપર ચંદ્રનાં વિમાનો છે, ત્યાર પછી
ત્રૈલોક્યસારમાં કહેલ ક્રમ પ્રમાણે ચાર યોજન ઉપર અશ્વિની આદિ નક્ષત્રોનાં વિમાન છે,
તેના પછી ચાર યોજન ઉપર બુધનાં વિમાન છે, તેના પછી ત્રણ યોજન ઉપર શુક્રનાં વિમાન
છે, પછી ત્રણ યોજન ઉપર બૃહસ્પતિનાં વિમાન છે, ત્યાર પછી ત્રણ યોજન ઉપર મંગળનાં
વિમાન છે, ત્યાંથી પણ ત્રણ યોજન ઉપર શનિશ્ચરનાં વિમાન છે. તે જ કહ્યું છે
‘‘સાતસો નેવું, દસ, એંસી, ચાર, ચાર, ત્રણ, ત્રણ, ત્રણ અને ત્રણ યોજન ઉપર ક્રમપૂર્વક
पुनर्विदेहवत्सर्वदैव कर्मभूमिश्चतुर्थकालश्च परं किन्तु मनुष्या न सन्ति
एवमुक्तलक्षणतिर्यग्लोकस्य तदभ्यन्तरं मध्यभागवर्त्तिनो मनुष्यलोकस्य च प्रतिपादनेन संक्षेपेण
मध्यमलोकव्याख्यानं समाप्तम्
अथ मनुष्यलोके द्विंहीनशतचतुष्टयं तिर्यग्लोके तु
नन्दीश्वरकुण्डलरुचकाभिधानद्वीपत्रयेषु क्रमेण द्विपञ्चाशच्चतुष्टयचतुष्टयसंख्याश्चाकृत्रिमाः
स्वतन्त्रजिनगृहा ज्ञातव्याः
अत ऊर्ध्वं ज्योतिर्लोकः कथ्यते तद्यथाचन्द्रादित्यग्रहनक्षत्राणि प्रकीर्णतारकाश्चेति
ज्योतिष्कदेवाः पञ्चविधा भवन्ति तेषां मध्येऽस्माद्भूमितलादुपरिनवत्यधिकसप्तशत-
योजनान्याकाशे गत्वा तारकविमानाः सन्ति, ततोऽपि योजनदशकं गत्वा सूर्यविमानाः, ततः
परमशीतियोजनानि गत्वा चन्द्रविमानाः, ततोऽपि त्रैलोक्यसारकथितक्रमेण योजनचतुष्टयं गते
अश्विन्यादिनक्षत्रविमानाः, ततः परं योजनचतुष्टयं गत्वा बुधविमानाः, ततः परं योजनत्रयं
गत्वा शुक्रविमानाः, ततः परं योजनत्रये गते बृहस्पतिविमानाः, ततो योजनत्रयानन्तरं
मंगलविमानाः, ततोऽपि योजनत्रयान्तरं शनैश्वरविमाना इति
तथा चोक्तं ‘‘णउदुत्तरसत्तसया
૧. ત્રિલોકસાર ગાથા ૩૩૨
૧૫૦ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ