Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 164 of 272
PDF/HTML Page 176 of 284

 

background image
છે. તે આ પ્રમાણેસર્વે જીવો કેવળજ્ઞાનમય છે એવી ભાવનાથી જે સમતારૂપ પરિણામ
તે સામાયિક છે અથવા પરમ સ્વાસ્થ્યના બળથી યુગપત્ સમસ્ત શુભાશુભ સંકલ્પ
વિકલ્પોના ત્યાગરૂપ સમાધિ જેનું લક્ષણ છે તે સામાયિક છે અથવા નિર્વિકાર સ્વસંવેદનના
બળથી રાગદ્વેષના પરિહારરૂપ સામાયિક છે અથવા નિજ શુદ્ધાત્માના અનુભવના બળથી
આર્ત અને રૌદ્રધ્યાનના પરિત્યાગરૂપ સામાયિક છે અથવા સમસ્ત સુખદુઃખાદિમાં
મધ્યસ્થભાવરૂપ સામાયિક છે.
હવે, છેદોપસ્થાપનનું કથન કરે છેઃ જ્યારે એક સાથે સમસ્ત વિકલ્પોના ત્યાગરૂપ
પરમ સામાયિકમાં સ્થિત થવાને આ જીવ અશક્ત હોય છે, ત્યારે ‘સમસ્ત હિંસા, અસત્ય,
ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરતિ તે વ્રત છે’
એ પ્રમાણે આ પાંચ પ્રકારના વિકલ્પ-
ભેદ વડેવ્રતરૂપ છેદ વડે રાગાદિ વિકલ્પરૂપ સાવદ્યોથી પોતાને પાછો વાળીને
નિજશુદ્ધાત્મામાં પોતાને સ્થાપે છે, તે છેદોપસ્થાપન છે અથવા છેદ અર્થાત્ વ્રતનો ભંગ
થતાં નિર્વિકાર સ્વસંવેદનરૂપ નિશ્ચય
પ્રાયશ્ચિત્તથી અથવા તેના સાધક બહિરંગ
વ્યવહારપ્રાયશ્ચિત્તથી પોતાના આત્મામાં સ્થિત થવું, તે છેદોપસ્થાપન છે. હવે,
પરિહારવિશુદ્ધિનું કથન કરે છેઃ
‘‘तीसं वासो जम्मे वासपुहत्तं खु तित्थयरमूले पच्चक्खाणं पढिदो
संज्झूण दुगाउ य विहारो ।। (અર્થઃજે જન્મથી ત્રીસ વર્ષ સુધી સુખમાં વ્યતીત કરીને,
વર્ષ પૃથક્ત્વ (આઠ વર્ષ) સુધી તીર્થંકરનાં ચરણોમાં પ્રત્યાખ્યાન નામનું નવમું પૂર્વ ભણીને,
ત્રણે સંધ્યાકાળ સિવાયના સમયે દરરોજ બે કોશ ગમન કરે છે)’’
આ ગાથામાં કહેલા
इति भावनारूपेण समतालक्षणं सामायिकम्, अथवा परमस्वास्थ्यबलेन युगपत्समस्त-
शुभाशुभसंकल्पविकल्पत्यागरूपसमाधिलक्षणं वा, निर्विकारस्वसंवित्तिबलेन रागद्वेषपरिहाररूपं
वा, स्वशुद्धात्मानुभूतिबलेनार्त्तरौद्रपरित्यागरूपं वा, समस्तसुखदुःखादिमध्यस्थरूपं चेति
अथ
छेदोपस्थापनं कथयतियदा युगपत्समस्तविकल्पत्यागरूपे परमसामायिके स्थातुमशक्तोऽयं
जीवस्तदा समस्तहिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतमित्यनेन पञ्चप्रकारविकल्पभेदेन
व्रतच्छेदेन रागादिविकल्परूपसावद्येभ्यो निवर्त्य निजशुद्धात्मन्यात्मानमुपस्थापयतीति
छेदोपस्थापनम्
अथवा छेदे व्रतखण्डे सति निर्विकारस्वसंवित्तिरूपनिश्चयप्रायश्चित्तेन
तत्साधकबहिरंगव्यवहारप्रायश्चित्तेन वा स्वात्मन्युपस्थापनं छेदोपस्थापनमिति अथ
परिहारविशुद्धिं कथयति‘‘तीसं वासो जम्मे वासपुहत्तं खु तित्थयरमूले पच्चक्खाणं पढिदो
संज्झूण दुगाउ य विहारो ’’ इति गाथाकथितक्रमेण मिथ्यात्वरागादिविकल्पमलानां
૧. શ્રી ગોમ્મટસાર જીવકાંડ ગાથા ૪૭૩.
૧૬૪ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ