Bruhad Dravya Sangrah (Gujarati). Gatha: 1 : Mangalacharananu Phal.

< Previous Page   Next Page >


Page 6 of 272
PDF/HTML Page 18 of 284

 

background image
सिद्धपरमेष्ठिनमस्कार उचितस्तथापि व्यवहारनयमाश्रित्य प्रत्युपकारस्मरणार्थ-
मर्हत्परमेष्ठिनमस्कार एव कृतः
तथा चोक्तं‘‘श्रेयोमार्गस्य संसिद्धिः प्रसादात्परमेष्ठिनः
इत्याहुस्तद्गुणस्तोत्रं शास्त्रादौ मुनिपुङ्गवाः ।।’’ अत्र गाथापरार्धेन‘‘नास्तिकत्वपरिहारः
शिष्टाचारप्रपालनम् पुण्यावाप्तिश्च निर्विघ्नं शास्त्रादौ तेन संस्तुतिः ।।’’ इति
श्लोककथितफलचतुष्टयं समीक्षमाणा ग्रन्थकाराः शास्त्रादौ त्रिधा देवतायै त्रिधा नमस्कारं
कुर्वन्ति
त्रिधा देवता कथ्यते केन प्रकारेण ? इष्टाधिकृताभिमतभेदेन इष्टः स्वकीयपूज्यः
(१) अधिकृतःग्रन्थस्यादौ प्रकरणस्य वा नमस्करणीयत्वेन विवक्षितः (२)
अभिमतःसर्वेषां लोकानां विवादं विना सम्मतः (३) इत्यादिमङ्गलव्याख्यानं सूचितम्
છે. (તે જિનવરવૃષભ દ્વારા કહેવામાં આવ્યું છે.)
અહીં અધ્યાત્મશાસ્ત્રમાં જોકે સિદ્ધપરમેષ્ઠીને નમસ્કાર કરવો યોગ્ય છે તોપણ
વ્યવહારનયનો આશ્રય લઈને ઉપકારસ્મરણ કરવાને માટે અર્હત્પરમેષ્ઠીને જ
નમસ્કાર કર્યો છે. વળી કહ્યું પણ છે કે‘‘અર્હત્ પરમેષ્ઠીના પ્રસાદથી મોક્ષમાર્ગની
સિદ્ધિ થાય છે, તેથી મુનિવરોએ શાસ્ત્રના આદિમાં અર્હત્પરમેષ્ઠીના ગુણોની સ્તુતિ
કરી છે.’’
અહીં ગાથાના ઉત્તરાર્ધથી ૨‘‘नास्तिकत्वपरिहारः शिष्टाचारप्रपालनम् । पुण्यावाप्तिश्च
निर्विघ्नं शास्त्रादौ तेन संस्तुतिः ।। ।।’’ [અર્થઃનાસ્તિકતાનો ત્યાગ, શિષ્ટાચારનું
પાલન, પુણ્યની પ્રાપ્તિ અને વિઘ્નવિનાશઆ ચાર લાભ માટે શાસ્ત્રના આરંભમાં
ઇષ્ટદેવની સ્તુતિ કરવામાં આવે છે.] આ શ્લોકમાં કહેલાં ચાર ફળો જાણતા થકા
શાસ્ત્રકાર શાસ્ત્રના આરંભમાં ત્રણ પ્રકારના દેવને ત્રણ પ્રકારે નમસ્કાર કરે છે.
ત્રણ પ્રકારે દેવનું કથન કરવામાં આવે છે. કઈ રીતે? ઇષ્ટ, અધિકૃત અને
અભિમતએ ત્રણ ભેદથી. (૧) ઇષ્ટપોતાના દ્વારા પૂજ્ય તે ઇષ્ટ. (૨)
અધિકૃતગ્રન્થ કે પ્રકરણની શરૂઆતમાં નમસ્કાર માટે જે વિવક્ષિત હોય તે. (૩)
અભિમતસર્વે લોકોને વિવાદ વિના જે માન્ય હોય તે.
આ રીતે મંગલનું વ્યાખ્યાન કર્યું.
૧. આપ્તપરીક્ષા શ્લોક ૨
૨. શ્રી પંચાસ્તિકાય ગાથા ૧ની તાત્પર્યવૃત્તિ ટીકામાં આધારરૂપે શ્રી જયસેનાચાર્યે લીધેલ છે.
૬ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ