Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 180 of 272
PDF/HTML Page 192 of 284

 

background image
૧૮૦ ]બૃહદ્દ્રવ્યસંગ્રહ
सम्यग्दर्शनं ज्ञानं चरणं मोक्षस्य कारणं जानीहि
व्यवहारात् निश्चयतः तत्त्रिकमयः निजः आत्मा ।।३९।।
व्याख्या‘‘सम्मद्दंसणणाणं चरणं मोक्खस्स कारणं जाणे ववहारा’’
सम्यग्दर्शनज्ञानचारित्रत्रयं मोक्षस्य कारणं, हे शिष्य ! जानीहि व्यवहारनयात् ‘‘णिच्छयदो
तत्तियमइओ णिओ अप्पा’’ निश्चयतस्तत्त्रितयमयो निजात्मेति तथाहि वीतरागसर्वज्ञप्रणीत-
षड्द्रव्यपञ्चास्तिकायसप्ततत्त्वनवपदार्थसम्यक्श्रद्धानज्ञानव्रताद्यनुष्ठानविकल्परूपो व्यवहारमोक्ष-
मार्गः
निजनिरञ्जनशुद्धात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुचरणैकाग्य्रापरिणतिरूपो निश्चयमोक्षमार्गः
ગાથા ૩૯
ગાથાર્થઃસમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રને વ્યવહારનયથી મોક્ષનું
કારણ જાણો. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રમય નિજ આત્માને નિશ્ચયથી
મોક્ષનું કારણ જાણો.
ટીકાઃ‘‘सम्मद्दंसणणाणं चरणं मोक्खस्स कारणं जाणे ववहारा’’હે શિષ્ય!
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રએ ત્રણને વ્યવહારનયથી મોક્ષનું કારણ
જાણો. ‘‘णिच्छयदो तत्तियमइओ णिओ अप्पा’’ નિશ્ચયથી સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યક્ચારિત્રએ ત્રણમય નિજાત્મા જ મોક્ષનું કારણ છે. તે સમજાવવામાં આવે છેઃ
વીતરાગસર્વજ્ઞપ્રણીત છ દ્રવ્ય, પંચાસ્તિકાય, સાત તત્ત્વ અને નવ પદાર્થોનાં સમ્યક્શ્રદ્ધાન,
જ્ઞાન અને વ્રતાદિ આચરણના વિકલ્પરૂપ
વ્યવહારમોક્ષમાર્ગ છે; નિજ નિરંજન
શુદ્ધાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાનજ્ઞાનઆચરણની એકાગ્રપરિણતિરૂપ નિશ્ચયમોક્ષમાર્ગ છે.
૧. ‘‘જૈનશાસ્ત્રોનું પરમાર્થે વીતરાગપણું જ તાત્પર્ય છે. આ વીતરાગપણાને વ્યવહારનિશ્ચયના અવિરોધ
વડે જ અનુસરવામાં આવે તો ઇષ્ટસિદ્ધિ થાય છે, પરંતુ અન્યથા નહીં.’’ [જુઓ, શ્રી પંચાસ્તિકાય
ગાથા ૧૭૨ ટીકા પૃષ્ઠ ૨૫૪.] ‘‘છઠ્ઠા ગુણસ્થાને મુનિયોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી તેમજ
મહાવ્રતાદિ સંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય
વ્યવહારના અવિરોધનું (સુમેળનું)
ઉદાહરણ છે. પાંચમા ગુણસ્થાને તે ગુણસ્થાનને યોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી તેમજ દેશવ્રતાદિ
સંબંધી શુભભાવો યથાયોગ્યપણે હોવા તે નિશ્ચય
વ્યવહારના અવિરોધનું ઉદાહરણ છે.’’ [જુઓ, શ્રી
પંચાસ્તિકાય ગાથા ૧૭૨, પૃષ્ઠ ૨૫૪ ફૂટનોટ. ૨]
૨. વિકલ્પ છે તે રાગ છે અને તેનો હર સમયે અંશે અભાવ થતો જાય છે અર્થાત્ કથંચિત્ ભિન્ન
સાધ્યસાધન ભાવનો અભાવ થતો જાય છે, તેથી તેને વ્યવહારમોક્ષમાર્ગ કહે છે. [ જુઓ,
પંચાસ્તિકાય પૃષ્ઠ ૨૩૫૨૩૬.]