घटपटादिबहिर्द्रव्ये न वर्त्तते यतस्ततः कारणादभेदनयेनानेकद्रव्यात्मकैकपानकवत्तदेव
सम्यग्दर्शनं, तदेव सम्यग्ज्ञानं, तदेव सम्यक्चारित्रं, तदेव स्वात्मतत्त्वमित्युक्तलक्षणं
निजशुद्धात्मानमेव मुक्तिकारणं जानीहि ।।४०।।
एवं प्रथमस्थले सूत्रद्वयेन निश्चयव्यवहारमोक्षमार्गस्वरूपं संक्षेपेण व्याख्याय तदनन्तरं
द्वितीयस्थले गाथाषट्कपर्यन्तं सम्यक्त्वादित्रयं क्रमेण विवृणोति । तत्रादौ सम्यक्त्वमाह : —
जीवादीसद्दहणं सम्मत्तं रूवमप्पणो तं तु ।
दुरभिणिवेसविमुक्कं णाणं सम्मं खु होदि सदि जह्मि ।।४१।।
जीवादिश्रद्धानं सम्यक्त्वं रूपं आत्मनः तत् तु ।
दुरभिनिवेशविमुक्तं ज्ञानं सम्यक् खलु भवति सति यस्मिन् ।।४१।।
કહેલાં લક્ષણ નિશ્ચયરત્નત્રય ૧શુદ્ધાત્માને છોડીને બીજે ઘટ – પટાદિ બહિર્દ્રવ્યોમાં રહેતાં
નથી. તે કારણે અભેદનયથી અનેકદ્રવ્યમય એક પીણાંની જેમ તે જ સમ્યગ્દર્શન છે, તે
જ સમ્યગ્જ્ઞાન છે, તે જ સમ્યક્ચારિત્ર છે, તે જ સ્વાત્મતત્ત્વ છે. એ પ્રમાણે ઉક્ત
લક્ષણવાળા નિજ શુદ્ધાત્માને જ મુક્તિનું કારણ તમે જાણો. ૪૦.
આ રીતે, પ્રથમ સ્થળમાં બે ગાથાઓ દ્વારા સંક્ષેપમાં નિશ્ચય અને વ્યવહાર
મોક્ષમાર્ગનું સ્વરૂપ કહીને, પછી બીજા સ્થળમાં છ ગાથા સુધી સમ્યક્ત્વ આદિ ત્રણનું
ક્રમપૂર્વક વર્ણન કરે છે. તેમાં પ્રથમ જ સમ્યગ્દર્શનનું કથન કરે છેઃ —
ગાથા ૪૧
ગાથાર્થઃ — જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે. તે સમ્યક્ત્વ આત્માનું
સ્વરૂપ છે. આ સમ્યક્ત્વ થતાં દુરભિનિવેશરહિત સમ્યક્જ્ઞાન થાય છે.
૧. અહીં સુખની મુખ્યતાથી નિશ્ચય સમ્યગ્દર્શન, નિશ્ચય સમ્યગ્જ્ઞાન અને નિશ્ચય ચારિત્રની વ્યાખ્યા છે. તેથી
સિદ્ધ થાય છે કે — ચતુર્થ ગુણસ્થાને જે શુદ્ધ સમ્યગ્દર્શન પ્રગટે છે તેની સાથે જ ભૂમિકા પ્રમાણે શુદ્ધ
આત્મિક સુખ પ્રગટે છે.
જીવાદિક તત્ત્વનિકી કરૈ, શ્રદ્ધા સો સમ્યક્ત્વ હૂઁ વરૈ;
યાહીતૈં સમ્યક્ હ્વૈ જ્ઞાન, દુર આશય - વિન આતમ માન. ૪૧.
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૮૩