Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 189 of 272
PDF/HTML Page 201 of 284

 

background image
गौरस्थूलादिदेहोऽहं राजाहमित्यहङ्कारलक्षणमिति
अथानायतनषट्कं कथयति मिथ्यादेवो, मिथ्यादेवाराधका, मिथ्यातपो, मिथ्यातपस्वी,
मिथ्यागमो, मिथ्यागमधराः पुरुषाश्चेत्युक्तलक्षणमनायतनषट्कं सरागसम्यग्दृष्टीनां त्याज्यं
भवतीति
वीतरागसम्यग्दृष्टीनां पुनः समस्तदोषायतनभूतानां मिथ्यात्वविषयकषायरूपायतनानां
परिहारेणकेवलज्ञानाद्यनन्तगुणायतनभूते स्वशुद्धात्मनि निवास एवानायतनसेवापरिहार इति
अनायतनशब्दस्यार्थः कथ्यते सम्यक्त्वादिगुणानामायतनं गृहमावास आश्रय आधारकरणं
निमित्तमायतनं भण्यते तद्विपक्षभूतमनायतनमिति
अतः परं शंकाद्यष्टमलत्यागं कथयति निःशंकाद्यष्टगुणप्रतिपालनमेव शङ्काद्यष्ट-
मलत्यागो भण्यते तद्यथारागादिदोषा अज्ञानं वाऽसत्यवचनकारणं तदुभयमपि वीतराग-
सर्वज्ञानां नास्ति, ततः कारणात्तत्प्रणीते हेयोपादेयतत्त्वे मोक्षे मोक्षमार्गे च भव्यैः शंका संशयः
આદિમાં ‘આ મારું છે’ એ પ્રકારની બુદ્ધિ તે મમકાર છે અને તેમાં જ અભેદપણે ‘ગોરું,
જાડું વગેરે શરીર તે હું છું, રાજા તે હું છું’ એ અહંકારનું લક્ષણ છે.
હવે, છ અનાયતનોનું કથન કરે છેઃમિથ્યાદેવ, મિથ્યાદેવોના આરાધકો,
મિથ્યાતપ, મિથ્યા તપસ્વી, મિથ્યા આગમ, મિથ્યાશાસ્ત્રના પંડિતોએ ઉપરોક્ત
લક્ષણવાળાં છ અનાયતનોનો ત્યાગ સરાગસમ્યગ્દ્રષ્ટિઓએ કરવો જોઈએ. વીતરાગ
સમ્યગ્દ્રષ્ટિઓને તો સમસ્ત દોષોના સ્થાનભૂત મિથ્યાત્વ
વિષયકષાયરૂપ આયતનોના
ત્યાગથી કેવળજ્ઞાનાદિ અનંતગુણના સ્થાનભૂત સ્વશુદ્ધાત્મામાં નિવાસ કરવો તે જ
અનાયતનોની સેવાનો ત્યાગ છે. અનાયતન શબ્દનો અર્થ કહેવામાં આવે છે.
સમ્યક્ત્વાદિ ગુણોના આયતન
ઘરઆવાસઆશ્રયઆધારના નિમિત્તને ‘આયતન’ કહે
છે અને તેનાથી વિપરીત તે ‘અનાયતન’ છે.
હવે પછી, શંકા આદિ આઠ દોષોના ત્યાગનું કથન કરે છેનિઃશંકતા આદિ
આઠ ગુણોનું પાલન કરવું તે જ શંકાદિ આઠ દોષોનો ત્યાગ કહેવાય છે. તે આ
રીતે છે
રાગાદિ દોષો અથવા અજ્ઞાન અસત્ય વચનનું કારણ છે અને એ બન્નેય
(રાગાદિ અને અજ્ઞાન) વીતરાગસર્વજ્ઞદેવમાં નથી, તે કારણે તેમનાં કહેલાં હેય
ઉપાદેય તત્ત્વમાં, મોક્ષમાં અને મોક્ષમાર્ગમાં ભવ્યોએ શંકાસંશયસંદેહ કરવા યોગ્ય
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૮૯