Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 190 of 272
PDF/HTML Page 202 of 284

 

background image
सन्देहो न कर्त्तव्य तत्र शंकादिदोषपरिहारविषये पुनरञ्जनचौरकथा प्रसिद्धा तत्रैव
विभीषणकथा तथाहिसीताहरणप्रघट्टके रावणस्य रामलक्ष्मणाभ्यां सह संग्रामप्रस्तावे
विभीषणेन विचारितं रामस्तावदष्टमबलदेवो लक्ष्मणश्चाष्टमो वासुदेवो रावणश्चाष्टमः प्रतिवासुदेव
इति
तस्य च प्रतिवासुदेवस्य वासुदेवहस्तेन मरणमिति जैनागमे कथितमास्ते, तन्मिथ्या न
भवतीति निःशंको भूत्वा, त्रैलोक्यकण्टकं रावणं स्वकीयज्येष्ठभ्रातरं त्यक्त्वा,
त्रिंशदक्षौहिणीप्रमितचतुरंगबलेन सह स रामस्वामिपार्श्वे गत इति
तथैव देवकीवसुदेवद्वयं
निःशङ्कं ज्ञातव्यम् तथाहियदा देवकीबालकस्य मारणनिमित्तं कंसेन प्रार्थना कृता तदा
ताभ्यां पर्यालोचितं मदीयः पुत्रो नवमो वासुदेवो भविष्यति तस्य हस्तेन जरासिन्धुनाम्नो
नवमप्रतिवासुदेवस्य कंसस्यापि मरणं भविष्यतीति जैनागमे भणितं तिष्ठतीति,
નથી. ત્યાં શંકા આદિ દોષના ત્યાગની બાબતમાં અંજનચોરની કથા પ્રસિદ્ધ છે. તે
બાબતમાં જ વિભીષણની કથા પણ (પ્રસિદ્ધ) છે. તે આ રીતેસીતાહરણ
પ્રકરણમાં રાવણને રામલક્ષ્મણ સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ આવ્યો, ત્યારે વિભીષણે
વિચાર કર્યો કે રામ તો આઠમા બળદેવ છે અને લક્ષ્મણ આઠમા વાસુદેવ છે, તથા
રાવણ આઠમા પ્રતિવાસુદેવ છે. તે પ્રતિવાસુદેવનું મરણ વાસુદેવના હાથે થાય છે, એમ
જૈન આગમમાં કહ્યું છે, તે મિથ્યા થઈ શકતું નથી;
એમ નિઃશંક થઈને પોતાના
મોટાભાઈ, ત્રણ લોકના કંટકરૂપ રાવણને છોડીને, (પોતાની) ત્રીસ અક્ષૌહિણી ચતુરંગ
સેના સહિત તે રામચંદ્રની પાસે ચાલ્યો ગયો. તેવી જ રીતે દેવકી અને વસુદેવ
એ બન્નેને પણ નિઃશંક જાણવાં. તે આ પ્રમાણેજ્યારે દેવકીના પુત્રને મારવાને
માટે કંસે પ્રાર્થના કરી, ત્યારે તે બન્નેએ (દેવકી અને વસુદેવે) વિચાર્યું કે મારો પુત્ર
નવમો વાસુદેવ થશે અને તેના હાથે જરાસિન્ધુ નામના નવમા પ્રતિવાસુદેવનું અને
કંસનું પણ મરણ થશે, એમ જૈન આગમમાં કહ્યું છે તેમ જ અતિમુક્ત ભટ્ટારકે
૧. આ કથા સંબંધમાં મોક્ષમાર્ગપ્રકાશકમાં નીચે પ્રમાણે કહ્યું છે. પા. ૨૭૬. ‘‘વળી પ્રથમાનુયોગમાં
ઉપચારરૂપ કોઈ ધર્મઅંગ થતાં ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ. જેમ જીવોને શંકાકાંક્ષાદિ ન કરતાં
તેને સમ્યક્ત્વ થયું કહીએ છીએ; પણ કોઈ કાર્યમાં શંકાકાંક્ષાદિ ન કરવા માત્રથી સમ્યક્ત્વ તો ન
થાય. સમ્યક્ત્વ તો તત્ત્વશ્રદ્ધા થતાં જ થાય છે; પરંતુ અહીં નિશ્ચયસમ્યક્ત્વનો તો વ્યવહારસમ્યક્ત્વમાં
ઉપચાર કર્યો તથા વ્યવહારસમ્યક્ત્વના કોઈ અંગમાં સંપૂર્ણ વ્યવહારસમ્યક્ત્વનો ઉપચાર કર્યો; એ પ્રમાણે
તેને ઉપચારથી સમ્યક્ત્વ થયું કહીએ છીએ.’’
નોટઃઉપચારથી સમ્યગ્જ્ઞાન તથા ઉપચારથી સમ્યક્ ચારિત્રનું સ્વરૂપ પણ ત્યાં કહ્યું છે, તે ત્યાંથી
સમજી લેવું.
૧૯૦ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ