Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 197 of 272
PDF/HTML Page 209 of 284

 

background image
परिवेष्टय घोरोपसर्गे क्रियमाणे भेदाभेदरत्नत्रयभावनाप्रियेण रामस्वामिना वज्रकर्णवात्सल्य-
निमित्तं सिंहोदरो बद्ध इति रामायणमध्ये प्रसिद्धेयं वात्सल्यकथेति
निश्चयवात्सल्यं पुनस्तस्यैव
व्यवहारवात्सल्यगुणस्य सहकारित्वेन धर्मे दृढत्वे जाते सति मिथ्यात्वरागादिसमस्त-
शुभाशुभबहिर्भावेषु प्रीतिं त्यक्त्वा रागादिविकल्पोपाधिरहितपरमस्वास्थ्यसंवित्तिसञ्जात-
सदानन्दैकलक्षणसुखामृतरसास्वादं प्रति प्रीतिकरणमेवेति सप्तमाङ्गं व्याख्यातम्
।।।।
अथाष्टमाङ्गं नाम प्रभावनागुणं कथयति श्रावकेन दानपूजादिना तपोधनेन च
तपःश्रुतादिना जैनशासनप्रभावना कर्तव्येति व्यवहारेण प्रभावनागुणो ज्ञातव्यः तत्र
पुनरुत्तरमथुरायां जिनसमयभावनशीलाया उर्विल्लामहादेव्याः प्रभावननिमित्तमुपसर्गे जाते सति
वज्रकुमारनाम्ना विद्याधरश्रमणेनाकाशे जैनरथभ्रमणेन प्रभावना कृतेत्येका आगमप्रसिद्धा कथा
द्वितीया तु जिनसमयप्रभावनाशीलवप्रामहादेवीनामस्वकीयजनन्या निमित्तं स्वस्य धर्मानुरागेण
च हरिषेणनामदशमचक्रवर्तिना तद्भवमोक्षगामिना जिनसमयप्रभावनार्थमुत्तुङ्गतोरणजिनचैत्यालय-
मण्डितं सर्वभूमितलं कृतमिति रामायणे प्रसिद्धेयं कथा
निश्चयेन पुनस्तस्यैव व्यवहार-
ભેદાભેદરત્નત્રયની ભાવના જેમને પ્રિય હતી એવા રામચંદ્રે વજ્રકર્ણ પ્રત્યેના વાત્સલ્યના
નિમિત્તે સિંહોદરને બાંધ્યો. (
આ વાત્સલ્યકથા રામાયણમાં પ્રસિદ્ધ છે.) નિશ્ચય વાત્સલ્ય
તો, તે જ વ્યવહાર વાત્સલ્યગુણના સહકારીપણાથી ધર્મમાં દ્રઢતા થતાં, મિથ્યાત્વરાગાદિ
સમસ્ત શુભાશુભ બહિર્ભાવોમાં પ્રીતિ છોડીને રાગાદિ વિકલ્પોપાધિરહિત, પરમ સ્વાસ્થ્યના
સંવેદનથી ઉત્પન્ન સદાનંદ (નિત્ય આનંદ) જેનું એક લક્ષણ છે એવા સુખામૃતના રસાસ્વાદમાં
પ્રીતિ કરવી તે જ છે. એ પ્રમાણે સાતમા અંગનું વ્યાખ્યાન કર્યું. ૭.
હવે, પ્રભાવનાગુણ નામના આઠમા અંગનું કથન કરે છેઃશ્રાવકે દાનપૂજા
આદિ દ્વારા અને મુનિએ તપશ્રુત આદિથી જૈનશાસનની પ્રભાવના કરવીએ વ્યવહારથી
પ્રભાવનાગુણ જાણવો. તે વિષયમાં ઉત્તર મથુરામાં જિનસમયની પ્રભાવના કરવાના
સ્વભાવવાળી ઉર્વિલ્લામહાદેવીને પ્રભાવના નિમિત્તે ઉપસર્ગ થતાં વજ્રકુમાર નામના
વિદ્યાધર શ્રમણે આકાશમાં જૈનરથ ફેરવીને પ્રભાવના કરી હતી
એ એક આગમપ્રસિદ્ધ
કથા છે. અને બીજી કથા આ છેઃતદ્ભવ મોક્ષગામી હરિષેણ નામના દશમા
ચક્રવર્તીએ, જિનસમયની પ્રભાવનાશીલ પોતાની માતા વપ્રામહાદેવીના નિમિત્તે અને પોતાના
ધર્માનુરાગથી, જૈનમતની પ્રભાવના માટે ઊંચાં તોરણવાળાં જિનમંદિરોથી સમસ્ત પૃથ્વીને
વિભૂષિત કરી હતી. આ કથા રામાયણમાં પ્રસિદ્ધ છે. નિશ્ચયથી તો, તે જ વ્યવહાર
મોક્ષમાર્ગ અધિકાર [ ૧૯૭