Bruhad Dravya Sangrah (Gujarati). Samyatvano Mahima.

< Previous Page   Next Page >


Page 198 of 272
PDF/HTML Page 210 of 284

 

background image
प्रभावनागुणस्य बलेन मिथ्यात्वविषयकषायप्रभृतिसमस्तविभावपरिणामरूपपरसमयानां प्रभावं
हत्वा शुद्धोपयोगलक्षणस्वसंवेदनज्ञानेन विशुद्धज्ञानदर्शनस्वभावनिजशुद्धात्मनः प्रकाशनमनु-
भवनमेव प्रभावनेति
।।।।
एवमुक्तप्रकारेण मूढत्रयमदाष्टकषडनायतनशङ्काद्यष्टमलरहितं शुद्धजीवादितत्त्वार्थश्रद्धान-
लक्षणं सरागसम्यक्त्वाभिधानं व्यवहारसम्यक्त्वं विज्ञेयम् तथैव तेनैव व्यवहारसम्यक्त्वेन
पारम्पर्येण साध्यं शुद्धोपयोगलक्षणनिश्चयरत्नत्रयभावनोत्पन्नपरमाह्लादैकरूपसुखामृतरसास्वाद-
नमेवोपादेयमिन्द्रियसुखादिकं च हेयमिति रुचिरूपं वीतरागचारित्राविनाभूतं वीतराग-
सम्यक्त्वाभिधानं निश्चयसम्यक्त्वं च ज्ञातव्यमिति
अत्र व्यवहारसम्यक्त्वमध्ये निश्चयसम्यक्त्वं
किमर्थं व्याख्यातमिति चेत् ? व्यवहारसम्यक्त्वेन निश्चयसम्यक्त्वं साध्यत इति साध्य-
साधकभावज्ञापनार्थमिति
इदानीं येषां जीवानां सम्यग्दर्शनग्रहणात्पूर्वमायुर्बन्धो नास्ति तेषां व्रताभावेऽपि
પ્રભાવના ગુણના બળથી મિથ્યાત્વવિષયકષાયાદિ સમસ્ત વિભાવપરિણામરૂપ
પરસમયોનો પ્રભાવ નષ્ટ કરીને શુદ્ધોપયોગલક્ષણ સ્વસંવેદનજ્ઞાન વડે વિશુદ્ધ
જ્ઞાનદર્શનસ્વભાવી નિજ શુદ્ધાત્માનું પ્રકાશન
અનુભવન કરવું, તે જ પ્રભાવના છે. ૮.
આ રીતે ઉક્ત પ્રકારે ત્રણ મૂઢતા, આઠ મદ, છ અનાયતન અને શંકા આદિ આઠ
દોષો વિનાનું શુદ્ધ જીવાદિતત્ત્વાર્થોનું શ્રદ્ધાન જેનું લક્ષણ છે એવું સરાગસમ્યક્ત્વ નામનું
વ્યવહાર
સમ્યક્ત્વ જાણવું. તેવી જ રીતે તે જ વ્યવહારસમ્યક્ત્વથી પરંપરાએ સાધ્ય
એવું, શુદ્ધોપયોગલક્ષણ નિશ્ચયરત્નત્રયની ભાવનાથી ઉત્પન્ન પરમાહ્લાદ જેનું એક રૂપ છે,
એવા સુખામૃતરસનો આસ્વાદ જ ઉપાદેય છે અને ઇન્દ્રિયસુખાદિ હેય છે એવી રુચિરૂપ,
વીતરાગચારિત્રનું અવિનાભાવી વીતરાગ
સમ્યક્ત્વ નામનું નિશ્ચયસમ્યક્ત્વ જાણવું.
પ્રશ્નઃઅહીં વ્યવહારસમ્યક્ત્વના કથનમાં નિશ્ચયસમ્યક્ત્વનું કથન કેમ કર્યું? ઉત્તરઃ
વ્યવહારસમ્યક્ત્વથી નિશ્ચયસમ્યક્ત્વની સિદ્ધિ થાય છે, એમ સાધ્યસાધકભાવ
જણાવવાને માટે કથન કર્યું છે.
હવે, જે જીવોને સમ્યગ્દર્શનના ગ્રહણ થવા પહેલાં આયુષ્યનો બંધ થયો ન હોય તેમને
૧. બળથી = નિમિત્તથી.
૨. ભૂમિકા યોગ્ય વ્યવહાર અર્થાત્ શુભરાગ સાથેનું અનુપચરિત સાચું સમ્યગ્દર્શન.
૧૯૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ