Bruhad Dravya Sangrah (Gujarati). Samyakgyanana Bhed.

< Previous Page   Next Page >


Page 202 of 272
PDF/HTML Page 214 of 284

 

background image
‘‘विवज्जियं’’ इत्युक्तलक्षणसंशयविमोहविभ्रमैर्वर्जितं, ‘‘अप्पपरसरूवस्स गहणं’’ सहजशुद्ध-
केवलज्ञानदर्शनस्वभावस्वात्मरूपस्य ग्रहणं परिच्छेदनं परिच्छित्तिस्तथा परद्रव्यस्य च भावकर्म-
द्रव्यकर्मनोकर्मरूपस्य जीवसम्बन्धिनस्तथैव पुद्गलादिपञ्चद्रव्यरूपस्य परकीयजीवरूपस्य च
परिच्छेदनं यत्तत् ‘‘सम्मण्णाणं’’ सम्यग्ज्ञानं भवति
तच्च कथंभूतं ? ‘‘सायारं’’ घटोऽयं
पटोऽयमित्यादिग्रहणव्यापाररूपेण साकारं सविकल्पं व्यवसायात्मकं निश्चयात्मकमित्यर्थः
पुनश्च किं विशिष्टं ? ‘‘अणेयभेयं तु’’ अनेकभेदं तु पुनरिति
तस्य भेदाः कथ्यन्ते मतिश्रुतावधिमनःपर्ययकेवलज्ञानभेदेन पञ्चधा अथवा
श्रुतज्ञानापेक्षया द्वादशाङ्गमङ्गबाह्यं चेति द्विभेदम् द्वादशाङ्गानां नामानि कथ्यन्ते आचारं,
सूत्रकृतं, स्थानं, समवायनामधेयं, व्याख्याप्रज्ञप्तिः, ज्ञातृकथा, उपासकाध्ययनं, अन्तकृतदशं,
अनुत्तरोपपादिकदशं, प्रश्नव्याकरणं, विपाकसूत्रं, दृष्टिवादश्चेति
दृष्टिवादस्य च परिकर्म-
सूत्रप्रथमानुयोगपूर्वगतचूलिकाभेदेन पञ्चभेदाः कथ्यन्ते तत्र चन्द्रसूर्यजम्बूद्वीपद्वीपसागर-
व्याख्याप्रज्ञप्तिभेदेन परिकर्म पञ्चविधं भवति सूत्रमेकभेदमेव प्रथमानुयोगोऽप्येकभेदः
દ્રષ્ટાંતછીપમાં ચાંદીનું જ્ઞાન. ‘‘विवज्जियं’’ આ પૂર્વોક્ત લક્ષણોવાળા સંશય, વિમોહ અને
વિભ્રમથી રહિત, ‘‘अप्पपरसरूवस्स गहणं’’ સહજ શુદ્ધ કેવળજ્ઞાનદર્શનસ્વભાવી
નિજાત્મસ્વરૂપનું ગ્રહણપરિચ્છેદનપરિચ્છિતિ અને પરદ્રવ્યનું સ્વરૂપ અર્થાત્ ભાવકર્મ
દ્રવ્યકર્મનોકર્મનું સ્વરૂપ, પુદ્ગલ આદિ પાંચ દ્રવ્યોનું સ્વરૂપ તથા અન્ય જીવનું સ્વરૂપ
જાણવું તે ‘‘सम्मण्णाणं’’ સમ્યક્જ્ઞાન છે. તે કેવું છે? ‘‘सायारं’’ આ ઘટ છે, આ વસ્ત્ર છે
ઇત્યાદિ જાણવાના વ્યાપારરૂપે સાકાર છે; સવિકલ્પવ્યવસાયાત્મકનિશ્ચયાત્મક એવો
(‘સાકાર’નો) અર્થ છે. વળી કેવું છે? ‘‘अणेयभेयं तु’’ અનેક ભેદોવાળું છે.
સમ્યગ્જ્ઞાનના ભેદ કહેવામાં આવે છેઃમતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન,
મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનએ ભેદોથી સમ્યગ્જ્ઞાન પાંચ પ્રકારનું છે અથવા
શ્રુતજ્ઞાનની અપેક્ષાએ દ્વાદશાંગ અને અંગબાહ્યએ રીતે બે પ્રકારનું છે. બાર અંગનાં નામ
કહેવામાં આવે છેઃઆચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અંગ,
જ્ઞાતૃકથાંગ, ઉપાસકાધ્યયનાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરોપપાદિકદશાંગ, પ્રશ્નવ્યાકરણાંગ,
વિપાકસૂત્રાંગ અને દ્રષ્ટિવાદ
એ બાર અંગોનાં નામ છે. દ્રષ્ટિવાદ નામના બારમા અંગના
પરિકર્મ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વગત અને ચૂલિકાએ પાંચ ભેદોનું કથન કરવામાં આવે
છેઃતેમાં ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ અને
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિએ રીતે પરિકર્મ પાંચ પ્રકારે છે. સૂત્ર એક જ પ્રકારે છે. પ્રથમાનુયોગનો
૨૦૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ