Bruhad Dravya Sangrah (Gujarati). Vikalp Rahit Sattanu Grahan Karnar Darshananu Kathan.

< Previous Page   Next Page >


Page 206 of 272
PDF/HTML Page 218 of 284

 

background image
હોવાથી સવિકલ્પ છે, તોપણ બાકીના અનિચ્છિત સૂક્ષ્મવિકલ્પોનો સદ્ભાવ હોવા છતાં તેમનું
મુખ્યપણું નથી તે કારણે નિર્વિકલ્પ પણ કહેવાય છે; તેવી જ રીતે સ્વશુદ્ધાત્માના સંવેદનરૂપ
વીતરાગસ્વસંવેદનજ્ઞાન પણ સ્વસંવેદનના એક આકારરૂપ વિકલ્પમય હોવાથી સવિકલ્પ છે,
તોપણ બાહ્ય
વિષયોના અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પોનો સદ્ભાવ હોવા છતાં તેમનું મુખ્યપણું
ન હોવાથી નિર્વિકલ્પ પણ કહેવાય છે. અહીં અપૂર્વ સ્વસંવેદનના આકારરૂપ અંતર્મુખ
પ્રતિભાસ હોવા છતાં બાહ્ય વિષયોના અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પો પણ છે જ, તે જ કારણે
જ્ઞાન સ્વપરપ્રકાશક પણ સિદ્ધ થાય
છે. જો આ સવિકલ્પ - નિર્વિકલ્પ અને સ્વપરપ્રકાશક
જ્ઞાનનું વ્યાખ્યાન આગમ, અધ્યાત્મ અને તર્કશાસ્ત્રને અનુસરીને વિશેષરૂપે કરવામાં આવે
તો ઘણો વિસ્તાર થઈ જાય. પણ (દ્રવ્યસંગ્રહ) અધ્યાત્મશાસ્ત્ર હોવાથી તે વિસ્તાર કર્યો નથી.
આ રીતે રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ જે અવયવી તેના બીજા અવયવરૂપ જ્ઞાનના
વ્યાખ્યાન દ્વારા ગાથા સમાપ્ત થઈ. ૪૨.
હવે, વિકલ્પરહિત સત્તાનું ગ્રહણ કરનાર દર્શનનું કથન કરે છેઃ
निर्विकल्पमपि भण्यते यत एवेहापूर्वस्वसंवित्त्याकारान्तर्मुखप्रतिभासेऽपि बहिर्विषयानीहित-
सूक्ष्माविकल्पा अपि सन्ति तत एव कारणात् स्वपरप्रकाशकं च सिद्धम् इदं तु
सविकल्पकनिर्विकल्पकस्य तथैव स्वपरप्रकाशकस्य ज्ञानस्य च व्याख्यानं यद्यागमाध्यात्मतर्क-
शास्त्रानुसारेण विशेषेण व्याख्यायते तदा महान् विस्तारो भवति
च चाध्यात्मशास्त्रत्वान्न कृत
इति
एवं रत्नत्रयात्मकमोक्षमार्गावयविनो द्वितीयावयवभूतस्य ज्ञानस्य व्याख्यानेन गाथा
गता ।।४२।।
अथ निर्विकल्पसत्ताग्राहकं दर्शनं कथयति :
जं सामण्णं गहणं भावाणं णेव कट्टुमायारं
अविसेसिदूण अट्ठे दंसणमिदि भण्णए समए ।।४३।।
૧. શ્રી સમયસાર મોક્ષઅધિકાર ગાથા ૨૯૨ ની શ્રી જયસેનાચાર્ય કૃત ટીકા. પા. ૩૮૩૩૮૪. (શ્રી
રાજચંદ્ર જૈન શાસ્ત્રમાળા)
દર્શન અવલોકન, સો જુદા, ગહૈ વસ્તુ સામાન્યહિ તદા;
વિન આકાર વિશેષનિ હીન, જિનમત ભાષૈ યોં પરવીન. ૪૩.
૨૦૬ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ