Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 207 of 272
PDF/HTML Page 219 of 284

 

background image
ગાથા ૪૩
ગાથાર્થઃપદાર્થોમાં વિશેષપણું કર્યા વિના (ભેદ પાડ્યા વિના), આકાર અર્થાત્
વિકલ્પ કર્યા વિના, પદાર્થોનું જે સામાન્યપણે (સત્તાવલોકનરૂપ) ગ્રહણ તેને પરમાગમમાં
દર્શન કહેવામાં આવે છે.
વ્યાખ્યાઃ‘‘जं सामण्णं गहणं भावाणं’’ જે સામાન્યપણે અર્થાત્ સત્તાવલોકનરૂપે
ગ્રહણ કરવુંપરિચ્છેદન કરવું; કોનું ગ્રહણ કરવું? પદાર્થોનુંભાવોનું ગ્રહણ કરવું; કેવી
રીતે? ‘‘णेव कट्टुमायारं’’ ન કરીને; શું ન કરીને? આકાર અથવા વિકલ્પ; તે પણ શું કરીને?
‘‘अविसेसिदूण अट्ठे’’ પદાર્થોનો વિશેષ (ભેદ) ન કરીને; ક્યા રૂપે? આ સફેદ છે, આ કૃષ્ણ
છે, આ દીર્ઘ છે, આ હ્નસ્વ છે, આ ઘટ છે, આ પટ છે ઇત્યાદિ રૂપે; ‘‘दंसणमिदि भण्णए
समए’’ તે પરમાગમમાં સત્તાવલોકનરૂપ દર્શન કહેવાય છે. આ દર્શનને જ તત્ત્વાર્થશ્રદ્ધાન
લક્ષણવાળું સમ્યગ્દર્શન ન કહેવું. શા માટે ન કહેવું? કેમ કે તે શ્રદ્ધાન તો વિકલ્પરૂપ
છે અને આ દર્શન વિકલ્પરહિત છે. અહીં તાત્પર્ય આ છેઃ જ્યારે કોઈ પણ કંઈ પણ
અવલોકે છે
જુએ છે, ત્યારે જ્યાં સુધી તે વિકલ્પ ન કરે ત્યાં સુધી સત્તામાત્રના ગ્રહણરૂપ
દર્શન કહેવાય છે, પછી શુક્લ વગેરે વિકલ્પ થતાં જ્ઞાન કહેવાય છે. ૪૩.
यत् सामान्यं ग्रहणं भावानां नैव कृत्वा आकारम्
अविशेषयित्वा अर्थान् दर्शनं इति भण्यते समये ।।४३।।
व्याख्या‘‘जं सामण्णं गहणं भावाणं’’ यत् सामान्येन सत्तावलोकनेन ग्रहणं
परिच्छेदनं, केषां ? भावानां पदार्थानां; किं कृत्वा ? ‘‘णेव कट्टुमायारं’’ नैव कृत्वा, कं ?
आकारं विकल्पं, तदपि किं कृत्वा ? ‘‘अविसेसिदूण अट्ठे’’ अविशेष्याविभेद्यार्थान्; केन
रूपेण ? शुक्लोऽयं, कृष्णोऽयं, दीर्घोऽयं, ह्स्वोऽयं, घटोऽयं, पटोऽयमित्यादि
‘‘दंसणमिदि
भण्णए समए’’ तत्सत्तावलोकं दर्शनमिति भण्यते समये परमागमे नेदमेव
तत्त्वार्थश्रद्धानलक्षणं सम्यग्दर्शनं वक्तव्यम् कस्मादितिचेत् ? तत्र श्रद्धानं विकल्परूपमिदं तु
निर्विकल्पं यतः अयमत्र भावःयदा कोऽपि किमप्यवलोकयति पश्यति, तदा यावत्
विकल्पं न करोति तावत् सत्तामात्रग्रहणं दर्शनं भण्यते, पश्चाच्छुक्लादिविकल्पे जाते
ज्ञानमिति
।।४३।।
૧. તે શ્રદ્ધા તો વિકલ્પરૂપ છે=તે શ્રદ્ધા બધા પદાર્થોથી ભિન્ન નિજ શુદ્ધ પરમાત્મદ્રવ્યને વિષય બનાવે છે.
૨. અર્થોના આકારોનું અવભાસન તે વિકલ્પ.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૦૭