Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 213 of 272
PDF/HTML Page 225 of 284

 

background image
વ્યાખ્યાનથી બાહ્ય વિષયમાં જે સામાન્યનું ગ્રહણ છે તેનું નામ સત્તાવલોકનરૂપ દર્શન
સ્થાપિત કર્યું. અને જે ‘આ સફેદ છે’ ઇત્યાદિ વિશેષ પરિચ્છેદન થયું તેને જ્ઞાન સંજ્ઞા આપી.
એ રીતે દોષ નથી. સિદ્ધાંતમાં મુખ્યપણે સ્વસમયનું વ્યાખ્યાન હોય છે; ત્યાં સૂક્ષ્મ વ્યાખ્યાન
કરતાં આચાર્યોએ ‘જે આત્માને ગ્રહણ કરે છે તે દર્શન છે’ એમ વ્યાખ્યાન કર્યું. એ પ્રમાણે
એમાં પણ દોષ નથી.
અહીં, શિષ્ય શંકા કરે છેઃસત્તાવલોકનરૂપ દર્શનનો જ્ઞાનની સાથે ભેદ જાણવો
પણ તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન અને વસ્તુવિચારરૂપ સમ્યગ્જ્ઞાનએ બે વચ્ચે ભેદ
જણાતો નથી. જો કહો કે ‘કેમ નથી જણાતો?’ તો કહીએ છીએ કે સમ્યગ્દર્શનમાં પદાર્થનો
નિશ્ચય છે, તેવી જ રીતે સમ્યગ્જ્ઞાનમાં પણ છે; તો તેમનામાં શો તફાવત છે?
સમાધાનઃ
પદાર્થના ગ્રહણમાં જાણવારૂપ ક્ષયોપશમિકવિશેષ ‘જ્ઞાન’ કહેવાય છે અને
તે જ્ઞાનમાં જ ભેદનયથી, વીતરાગ સર્વજ્ઞે કહેલા શુદ્ધાત્મા આદિ તત્ત્વોમાં ‘આ જ છે, આમ
જ છે’ એવો નિશ્ચય તે સમ્યક્ત્વ છે. નિર્વિકલ્પ અભેદનયથી તો જે સમ્યગ્જ્ઞાન છે તે જ
સમ્યગ્દર્શન છે.
શંકાઃએમ કઈ રીતે? ઉત્તરઃઅતત્ત્વમાં તત્ત્વબુદ્ધિ, અદેવમાં દેવબુદ્ધિ,
અધર્મમાં ધર્મબુદ્ધિ’ ઇત્યાદિ વિપરીત અભિનિવેશરહિત જ્ઞાનની જ ‘સમ્યક્’ વિશેષણથી
કહેવામાં આવતી અવસ્થાવિશેષને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. શંકાઃ
જો
सत्तावलोकनदर्शनसंज्ञा स्थापिता, यच्च शुक्लमिदमित्यादिविशेषपरिच्छेदनं तस्य ज्ञानसंज्ञा
स्थापितेति दोषो नास्ति
सिद्धान्ते पुनः स्वसमयव्याख्यानं मुख्यवृत्त्या तत्र सूक्ष्मव्याख्याने
क्रियमाणे सत्याचार्यैरात्मग्राहकं दर्शनं व्याख्यातमित्यत्रापि दोषो नास्ति
अत्राह शिष्यःसत्तावलोकनदर्शनस्य ज्ञानेन सह भेदो ज्ञातस्तावदिदानीं
यत्तत्त्वार्थश्रद्धानरूपं सम्यग्दर्शनं वस्तुविचाररूपं सम्यग्ज्ञानं तयोर्विशेषो न ज्ञायते कस्मादिति
चेत् ? सम्यग्दर्शने पदार्थनिश्चयोऽस्ति, तथैव सम्यग्ज्ञाने च, को विशेष इति ? अत्र
परिहारः
अर्थग्रहणपरिच्छित्तिरूपः क्षयोपशमविशेषो ज्ञानं भण्यते, तत्रैव भेदनयेन
वीतरागसर्वज्ञप्रणीतशुद्धात्मादितत्त्वेष्विदमेवेत्थमेवेति निश्चयसम्यक्त्वमिति अविकल्परूपेणा-
भेदनयेन पुनर्यदेव सम्यग्ज्ञानं तदेव सम्यक्त्वमिति कस्मादिति चेत् ? अतत्त्वे तत्त्वबुद्धिरदेवे
देवबुद्धिरधर्मे धर्मबुद्धिरित्यादिविपरीताभिनिवेशरहितस्य ज्ञानस्यैव सम्यग्विशेषणवाच्यो-
ऽवस्थाविशेषः सम्यक्त्वं भण्यते यतः कारणात्
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૧૩