Bruhad Dravya Sangrah (Gujarati). Dhyanana Abhyasano Upadesh, Dhyata Purushanu Lakshan.

< Previous Page   Next Page >


Page 221 of 272
PDF/HTML Page 233 of 284

 

background image
હવે, ધ્યાતાપુરુષનું (ધ્યાન કરનાર પુરુષનું) લક્ષણ કહે છેઃ
ગાથા ૪૮
ગાથાર્થઃજો તમે વિચિત્ર (અનેક પ્રકારના) અથવા વિચિત્ત (વિકલ્પજાળ
રહિત) ધ્યાનની સિદ્ધિ માટે ચિત્તને સ્થિર કરવા ઇચ્છતા હો, તો ઇષ્ટ અને અનિષ્ટ
ઇન્દ્રિય
વિષયોમાં મોહ, રાગ અને દ્વેષ ન કરો.
ટીકાઃ‘‘मा मुज्झह मा रज्जह मा दूसह’’ સમસ્ત મોહરાગદ્વેષજનિત
વિકલ્પજાળથી રહિત નિજ પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન પરમાનંદ જેનું એક લક્ષણ
છે, એવા સુખામૃતના રસથી ઉત્પન્ન થયેલ અને તે જ પરમાત્મસુખના આસ્વાદમાં લીન
તન્મયરૂપ જે પરમકળા અર્થાત્ પરમ સંવિત્તિ, તેમાં સ્થિર થઈને હે ભવ્ય જીવો! મોહ,
રાગ અને દ્વેષ ન કરો. ક્યા વિષયોમાં?
‘‘इट्ठणिट्ठअट्ठेसु’’ માળા, સ્ત્રી, ચન્દન, તાંબૂલ આદિ
ઇષ્ટ ઇન્દ્રિયવિષયોમાં અને સાપ, વિષ, કંટક, શત્રુ, રોગ વગેરે અનિષ્ટ ઇન્દ્રિયવિષયોમાં.
શું ઇચ્છતા હો તો રાગ
દ્વેષ ન કરવા? ‘‘थिरमिच्छहि जइ चित्तं’’ જો તે જ પરમાત્માના
अथ ध्यातृपुरुषलक्षणं कथयति :
मा मुज्झह मा रज्जह मा दूसह इट्ठणिट्ठअट्ठेसु
थिरमिच्छहि जइ चित्तं विचित्तझाणप्पसिद्धीए ।।४८।।
मा मुह्यत मा रज्यत मा द्विष्यत इष्टानिष्टार्थेषु
स्थिरं इच्छत यदि चित्तं विचित्रध्यानप्रसिद्ध्यै ।।४८।।
व्याख्या‘‘मा मुज्झह मा रज्जह मा दूसह’’ समस्तमोहरागद्वेषजनितविकल्पजाल-
रहितनिजपरमात्मतत्त्वभावनासमुत्पन्नपरमानंदैकलक्षणसुखामृतरसात्सकाशादुद्गता संजाता तत्रैव
परमात्मसुखास्वादे लीना तन्मया या तु परमकला परमसंवित्तिस्तत्र स्थित्वा हे भव्या
मोहरागद्वेषान्मा कुरुत
केषु विषयेषु ? ‘‘इट्ठणिट्ठअट्ठेसु’’ स्रग्वनिताचन्दनताम्बूलादय
इष्टेन्द्रियार्थाः, अहिविषकण्टक शत्रुव्याधिप्रभृतयः पुनरनिष्टेन्द्रियार्थास्तेषु यदि किम् ?
‘‘थिरमिच्छहि जइ चित्तं’’ तत्रैव परमात्मानुभवे स्थिरं निश्चलं चित्तं यदीच्छत यूयं
ઇષ્ટઅનિષ્ટ વસ્તુકૂં દેખિ, રાગદ્વેષ અરુ મોહ ન પેખિ;
જો ચિત્તકૂં થિર કરના હોય, ઐસૈં કિયે ધ્યાન સિધિ હોય. ૪૮.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૨૧