Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 227 of 272
PDF/HTML Page 239 of 284

 

background image
એ બે (એ પાંચ નોકષાય) રાગના અંશ છે. અરતિ અને શોકએ બે તથા ભય અને
જુગુપ્સાએ બે (એ ચાર નોકષાયો) દ્વેષના અંશ છે, એમ જાણવું.
અહીં, શિષ્ય પૂછે છેઃરાગ, દ્વેષ આદિ કર્મજનિત છે કે જીવજનિત છે? તેનો
ઉત્તરઃસ્ત્રી અને પુરુષ એ બન્નેના સંયોગથી ઉત્પન્ન થતા પુત્રની જેમ, ચૂનો અને
હળદરના મિશ્રણથી ઉત્પન્ન થતા વર્ણવિશેષની જેમ, રાગ - દ્વેષ આદિ જીવ અને કર્મ એ
બન્નેના સંયોગજનિત છે. નયની વિવક્ષા પ્રમાણે, વિવક્ષિત એકદેશ શુદ્ધ નિશ્ચયનયથી
રાગદ્વેષ કર્મજનિત કહેવાય છે અને અશુદ્ધ નિશ્ચયનયથી જીવજનિત કહેવાય છે. આ
અશુદ્ધ નિશ્ચયનય, શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહાર જ છે. પ્રશ્નઃસાક્ષાત્ શુદ્ધ
નિશ્ચયનયથી આ રાગ - દ્વેષ કોના છે એમ અમે પૂછીએ છીએ, ઉત્તરઃસાક્ષાત્ શુદ્ધ
નિશ્ચયથી, સ્ત્રી અને પુરુષના સંયોગરહિત પુત્રની જેમ, ચૂના અને હળદરના સંયોગ રહિત
રંગ વિશેષની જેમ, તેમની (રાગ
- દ્વેષાદિની) ઉત્પત્તિ જ નથી; તો કઈ રીતે ઉત્તર આપીએ?
એ રીતે ધ્યાતાના વ્યાખ્યાનની મુખ્યતાથી, તેના આશ્રયે, વિચિત્ર ધ્યાનના કથન દ્વારા
આ ગાથા પૂરી થઈ. ૪૮.
હવે, આગળ ‘મંત્રવાક્યમાં સ્થિત પદસ્થ’ ધ્યાન જે કહ્યું હતું, તેનું વિવરણ કરે
છેઃ
च द्वेषाङ्गमिति ज्ञातव्यम् अत्राह शिष्य :रागद्वेषादयः किं कर्मजनिताः किं जीवजनिता
इति ? तत्रोत्तरम्स्त्रीपुरुषसंयोगोत्पन्नपुत्र इव सुधाहरिद्रासंयोगोत्पन्नवर्णविशेष
इवोभयसंयोगजनिता इति पश्चान्नयविवक्षावशेन विवक्षितैकदेशशुद्धनिश्चयेन कर्मजनिता
भण्यन्ते तथैवाशुद्धनिश्चयेन जीवजनिता इति स चाशुद्धनिश्चयः शुद्धनिश्चयापेक्षया व्यवहार
एव अथ मतम्साक्षाच्छुद्धनिश्चयनयेन कस्येति पृच्छामो वयम् तत्रोत्तरम्
साक्षाच्छुद्धनिश्चयेन स्त्रीपुरुषसंयोगरहितपुत्रस्यैव, सुधाहरिद्रासंयोगरहितरङ्गविशेषस्यैव
तेषामुत्पत्तिरेव नास्ति कथमुत्तरं प्रयच्छाम इति
एवं ध्यातृव्याख्यानमुख्यत्वेन तद्व्याजेन
विचित्रध्यानकथनेन च सूत्रं गतम् ।।४८।।
अतः ऊर्ध्वं पदस्थं ध्यानं मन्त्रवाक्यस्थं यदुक्तं तस्य विवरणं कथयति :
૧. બે દ્રવ્યો ભેગાં મળીને કાંઈ કાર્ય કદી કરી શકે નહિ,પણ જીવના ક્ષણિક અશુદ્ધ ઉપાદાને પરનિમિત્ત
એવાં કર્મનો આશ્રય લીધો છે તેથી તે પરાશ્રિત ભાવ છે, એમ અહીં બતાવ્યું છે. તેનો આશય
પરાશ્રિતભાવ છોડી આત્માશ્રિતભાવ પ્રગટ કરાવવાનો છે.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૨૭