Bruhad Dravya Sangrah (Gujarati). Mantravakyama Sthit Padastha Dhyananu Vivaran.

< Previous Page   Next Page >


Page 228 of 272
PDF/HTML Page 240 of 284

 

background image
ગાથા ૪૯
ગાથાર્થઃપંચ પરમેષ્ઠીના વાચક પાંત્રીસ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક
અક્ષરરૂપ મંત્રપદોનો જાપ કરો, ધ્યાન કરો; તે સિવાય અન્યનાં પણ, ગુરુના ઉપદેશ પ્રમાણે
જાપ અને ધ્યાન કરો.
ટીકાઃ‘‘पणतीस’’ ‘ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં, ણમો આઇરિયાણં, ણમો
ઉવજ્ઝાયાણં, ણમો લોએ સવ્વસાહૂણં’ આ પાંત્રીસ અક્ષરો ‘સર્વપદ’ કહેવાય છે. ‘‘सोल’’
‘અરિહંતસિદ્ધઆઇરિયઉવજ્ઝાયસાહૂ’ આ સોળ અક્ષરો ‘નામપદ’ કહેવાય છે. ‘‘छ’’
‘અરિહંતસિદ્ધ’ આ છ અક્ષરો અરિહંતસિદ્ધ એ બે પરમેષ્ઠીઓનાં ‘નામપદ’ કહેવાય
છે. ‘‘पण’’ ‘અ, સિ, આ, ઉ, સા’ આ પાંચ અક્ષરો પંચ પરમેષ્ઠીનાં ‘આદિપદ’ કહેવાય
છે. ‘‘चउ’’ ‘અરિહંત’ આ ચાર અક્ષર અરિહંત પરમેષ્ઠીનું ‘નામપદ’ છે. ‘‘दुगं’’ ‘સિદ્ધ’
એ બે અક્ષર સિદ્ધ પરમેષ્ઠીનું ‘નામપદ’ છે. ‘‘एगं च’’ ‘अ’ આ એક અક્ષર અરિહંત
પરમેષ્ઠીનું ‘આદિપદ’ છે, અથવા ‘ઓં’ એ એક અક્ષર પાંચે પરમેષ્ઠીઓનું ‘આદિપદ છે.
पणतीससोलछप्पणचउदुगमेगं च जवह ज्झाएह
परमेट्ठिवाचयाणं अण्णं च गुरूवएसेण ।।४९।।
पञ्चत्रिंशत् षोडश षट् पञ्च चत्वारि द्विकं एकं च जपत ध्यायत
परमेष्ठिवाचकानां अन्यत् च गुरूपदेशेन ।।४९।।
व्याख्या‘‘पणतीस’’ णमो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आइरियाणं, णमो
उवज्झायाणं, णमो लोए सव्वसाहूणं’ एतानि पञ्चत्रिंशदक्षराणि सर्वपदानि भण्यन्ते ‘‘सोल’’
‘अरिहंतसिद्धआइरियउवज्झायसाहू’ एतानि षोडशाक्षराणि नामपदानि भण्यन्ते
‘‘छ’’ ‘अरिहन्तसिद्ध’ एतानि षडक्षराणि अर्हत्सिद्धयोर्नामपदे द्वे भण्येते ‘‘पण’’ ‘अ सि
आ उ सा’ एतानि पञ्चाक्षराणि आदिपदानि भण्यन्ते ‘‘चउ’’ ‘अरिहंत’
इदमक्षरचतुष्टयमर्हतो नामपदम् ‘‘दुगं’’ ‘सिद्ध’ इत्यक्षरद्वयं सिद्धस्य नामपदम् ‘‘एगं च’’
‘अ’ इत्येकाक्षरमर्हत आदिपदम् अथवा ‘ओं’ एकाक्षरं पञ्चपरमेष्ठिनामादिपदम्
પરમેષ્ઠી - વાચક પૈંતીસ, વર્ણ સોલ છહ પણ ચતુ ઇશ;
દોય એક પુનિ ધ્યાવો જપો, ઔર બતાયે ગુરુકે લપો. ૪૯.
૨૨૮ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ