Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 12 of 272
PDF/HTML Page 24 of 284

 

background image
त्रिकाले चतुःप्राणा इन्द्रियं बलं आयुः आनप्राणश्च
व्यवहारात् स जीवः निश्चयनयतस्तु चेतना यस्य ।।।।
व्याख्या‘‘तिक्काले चदुपाणा’’ कालत्रये चत्वारः प्राणा भवन्ति ते के
‘‘इंदियबलमाउआणपाणो य’’ अतीन्द्रियशुद्धचैतन्यप्राणात्प्रतिशत्रुपक्षभूतः क्षायोपशमिक
इन्द्रियप्राणः, अनन्तवीर्यलक्षणबलप्राणादनन्तैकभागप्रमिता मनोवचनकायबलप्राणाः,
अनाद्यनन्तशुद्धचैतन्यप्राणविपरीततद्विलक्षणाः सादिः सान्तश्चायुःप्राणः उच्छवासपरा-
वर्त्तोत्पन्नखेदरहितविशुद्धचित्प्राणाद्विपरीतसदृश आनपानप्राणः
‘‘ववहारा सो जीवो’’
इत्थंभूतैश्चतुर्भिर्द्रव्यभावप्राणैर्यथासंभवं जीवति जीविब्यति जीवितपूर्वो वा यो व्यवहारनयात्स
जीवः; द्रव्येन्द्रियादिर्द्रव्यप्राणा अनुपचरितासद्भूतव्यवहारेण, भावेन्द्रियादिः
क्षायोपशमिकभावप्राणाः पुनरशुद्धनिश्चयेन, सत्ताचैतन्यबोधादिः शुद्धभावप्राणाः निश्चयेनेति
‘‘णिच्छयणयदो दु चेदणा जस्स’’ शुद्धनिश्चयनयतः सकाशादुपादेयभूता शुद्धचेतना यस्य स
ગાથા
ગાથાર્થઃત્રણ કાળમાં ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોેચ્છ્વાસ
ચાર પ્રાણોને જે ધારણ કરે છે, તે વ્યવહારનયે જીવ છે. નિશ્ચયનયથી જેને ચેતના છે તે
જીવ છે.
ટીકાઃ‘तिक्काले चदुपाणा’’ ત્રણ કાળમાં (જીવને) ચાર પ્રાણો હોય છે. તે ક્યા?
‘‘इंदियबलमाउआणपाणो य’’ અતીન્દ્રિય શુદ્ધ ચૈતન્યપ્રાણથી પ્રતિપક્ષભૂત ક્ષાયોપશમિક
ઇન્દ્રિયપ્રાણ છે, અનંતવીર્યલક્ષણ બળપ્રાણથી અનંતમા ભાગ પ્રમાણ મનોબળ, વચનબળ
અને કાયબળરૂપ પ્રાણ છે. અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યપ્રાણથી વિપરીત
તેનાથી વિલક્ષણ
સાદિસાન્ત (આદિ અને અંતવાળો) આયુપ્રાણ છે. શ્વાસ અને ઉચ્છ્વાસના પરાવર્તનથી
ઉત્પન્ન ખેદ રહિત વિશુદ્ધ ચૈતન્યપ્રાણથી વિપરીત શ્વાસોચ્છ્વાસ રૂપ પ્રાણ છે. ‘‘ववहारा
सो जीवा’’ વ્યવહારનયઅપેક્ષાએ, આ પ્રકારના ચાર દ્રવ્ય અને ભાવપ્રાણોથી યથાસંભવ જે
જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો તે જીવ છે. જીવને દ્રવ્યેન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણો
અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી, ભાવેન્દ્રિયાદિ ક્ષાયોપશમિક ભાવપ્રાણો અશુદ્ધ
નિશ્ચયનયથી અને સત્તા, ચૈતન્ય, બોધ વગેરે શુદ્ધભાવપ્રાણો નિશ્ચયનયથી છે.
‘‘णिच्छयणयदो
दु चेदणा जस्स’’ શુદ્ધ નિશ્ચયનયથી, ઉપાદેયભૂત શુદ્ધ ચેતના જેને છે તે જીવ છે.
૧૨ ]
બૃહદ્દ્રવ્યસંગ્રહ