Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 13 of 272
PDF/HTML Page 25 of 284

 

background image
जीवः एवं ‘‘वच्छरक्खभवसारिच्छ, सग्गणिरयपियराय चुल्लयहंडिय पुण मडउ णव
दिट्ठंता जाय ।।।।’’ इति दोहककथितनवदृष्टान्तैश्चार्वाकमतानुसारिशिष्यसंबोधनार्थं
जीवसिद्धिव्याख्यानेन गाथा गता अथ अध्यात्मभाषया नयलक्षणं कथ्यते सर्वे जीवाः
शुद्धबुद्धैकस्वभावाः इति शुद्धनिश्चयनयलक्षणम् रागादय एव जीवाः
इत्यशुद्धनिश्चयनयलक्षणम् गुणगुणिनोरभेदोऽपि भेदोपचार इति सद्भूतव्यवहारलक्षणम्
भेदेऽपि सत्यभेदोपचार इत्यसद्भूतव्यवहारलक्षणं चेति तथाहिजीवस्य केवलज्ञानादयो गुणा
इत्यनुपचरितसंज्ञशुद्धसद्भूतव्यवहारलक्षणम् जीवस्य मतिज्ञानादयो विभावगुणा
તેથી ‘‘वच्छरक्खभवसारिच्छ सग्गणिरयपियराय चुल्लयहंडिय पुण मडउ णव दिट्ठंता जाय ।।’’
( ૧. वत्सજન્મ લેતાં જ વાછરડું, પૂર્વજન્મના સંસ્કારથી, શીખવ્યા વિના પોતાની મેળે
માતાનું સ્તનપાન કરવા લાગે છે. ૨. अक्षरઅક્ષરોનું ઉચ્ચારણ જીવ જાણકારીની સાથે
આવશ્યકતા પ્રમાણે કરે છે. જડપદાર્થોમાં આ વિશેષતા હોતી નથી. ૩. भवજો આત્મા
એક સ્થાયી પદાર્થ ન હોય તો જન્મમરણ કોનાં થાય? ૪. सादृश्यઆહાર, પરિગ્રહ,
ભય, મૈથુન, હર્ષ, વિષાદ આદિ બધા જીવોમાં એકસરખાં દેખાય છે. ૫૬. स्वर्गनरक
જીવ જો સ્વતંત્ર પદાર્થ ન હોય તો સ્વર્ગનરકમાં જવાનું કોને સિદ્ધ થશે? ૭. पितर
અનેક મનુષ્ય મરીને ભૂત વગેરે થાય છે અને પોતાનાં સ્ત્રી, પુત્રાદિને પોતાના આગલા
ભવની હકીકત જણાવે છે. ૮.
चूल्हाहंडीજીવ જો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને
આકાશએ પાંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થતો હોય તો દાળ બનાવતી વખતે ચૂલા ઉપર
મૂકેલ હાંડીમાં પાંચે મહાભૂતોનો સમાગમ થવાને લીધે ત્યાં પણ જીવ ઉત્પન્ન થવો જોઈએ;
પરંતુ એમ બનતું નથી. ૯.
मृतक મડદામાં પાંચે પદાર્થો હોય છે પણ તેમાં જીવનાં
જ્ઞાનાદિ હોતાં નથી. આ રીતે જીવ એક જુદો સ્વતંત્ર પદાર્થ સિદ્ધ થાય છે. )
દોહરામાં કહેલાં નવ દ્રષ્ટાન્તો વડે, ચાર્વાકમતાનુસારી શિષ્યને સમજાવવા માટે જીવની
સિદ્ધિના વ્યાખ્યાનથી આ ગાથા પૂરી થઈ.
હવે અધ્યાત્મભાષાથી નયોનાં લક્ષણ કહે છેઃ ‘સર્વે જીવો શુદ્ધબુદ્ધએક
સ્વભાવવાળા છે’ એ શુદ્ધનિશ્ચયનયનું લક્ષણ છે. ‘રાગાદિ જ જીવ છે’ એ અશુદ્ધનિશ્ચયનયનું
લક્ષણ છે. ગુણ અને ગુણી અભેદ હોવા છતાં પણ ભેદનો ઉપચાર કરવો તે
સદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે; અને ભેદ હોવા છતાં પણ અભેદનો ઉપચાર કરવો એ
અસદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. તે આ પ્રમાણે
‘જીવને કેવળજ્ઞાનાદિ ગુણો છે’ એ
અનુપચરિત શુદ્ધ સદ્ભૂતવ્યવહારનું લક્ષણ છે. ‘જીવને મતિજ્ઞાનાદિ વિભાવગુણો છે’ એ
ષડ્દ્રવ્ય-પંચાસ્તિકાય અધિકાર [ ૧૩