Bruhad Dravya Sangrah (Gujarati). Siddha Parameshthinu Swaroop.

< Previous Page   Next Page >


Page 237 of 272
PDF/HTML Page 249 of 284

 

background image
દર્પણસ્થાનીય વેદશાસ્ત્રોમાં કહેલા પ્રતિબિંબસ્થાનીય પરમાણુ આદિ અનંત સૂક્ષ્મ
પદાર્થોનું કોઈ પણ કાળે પરિજ્ઞાન થતું નથી. એ રીતે કહ્યું પણ છે કે‘જે પુરુષને સ્વયં
બુદ્ધિ નથી, તેને શાસ્ત્ર શું (ઉપકાર) કરી શકે? કેમ કે નેત્રરહિત પુરુષને દર્પણ શું
ઉપકારકરે?
એ રીતે અહીં, સંક્ષેપમાં સર્વજ્ઞની સિદ્ધિ જાણવી.
આ પ્રમાણે પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ
એ ધ્યાનોના ધ્યેયભૂત સકલ પરમાત્મા
શ્રીજિનભટ્ટારકના વ્યાખ્યાનથી આ ગાથા સમાપ્ત થઈ. ૫૦.
હવે, સિદ્ધ સમાન નિજ પરમાત્મતત્ત્વમાં પરમ સમરસીભાવ જેનું લક્ષણ છે એવા
રૂપાતીત નામના નિશ્ચયધ્યાનનું પરંપરાએ કારણભૂત એવું, મુક્તિપ્રાપ્ત એવા સિદ્ધપરમેષ્ઠીની
ભક્તિરૂપ, ‘ણમો સિદ્ધાણં’ એ પદના ઉચ્ચારણરૂપ લક્ષણવાળું જે પદસ્થ ધ્યાન, તેના
ધ્યેયભૂત સિદ્ધપરમેષ્ઠીનું સ્વરૂપ કહે છેઃ
परमाण्वाद्यनन्तसूक्ष्मपदार्थानां क्कापिकाले परिज्ञानं न भवति तथा चोक्तं ‘‘यस्य नास्ति स्वयं
प्रज्ञा शास्त्रं तस्य करोति किम् लोचनाभ्यां विहीनस्य दर्पणः किं करिष्यति ।।।।’’ इति
संक्षेपेण सर्वज्ञसिद्धिरत्र बोद्धव्या एवं पदस्थपिण्डस्थरूपस्थध्याने ध्येयभूतस्य सकलात्मनो
जिनभट्टारकस्य व्याख्यानरूपेण गाथा गता ।।५०।।
अथ सिद्धसदृशनिजपरमात्मतत्त्वपरमसमरसीभावलक्षणस्य रूपातीतनिश्चयध्यानस्य
पारम्पर्येण कारणभूतं मुक्तिगतसिद्धभक्तिरूपं ‘‘णमो सिद्धाणं’’ इति पदोच्चारणलक्षणं
यत्पदस्थं ध्यानं तस्य ध्येयभूतं सिद्धपरमेष्ठीस्वरूपं कथयति :
णट्ठट्ठकम्मदेहो लोयालोयस्स जाणओ दट्ठा
पुरिसायारो अप्पा सिद्धो झाएह लोयसिहरत्थो ।।५१।।
૧. અહીં નિમિત્ત અકિંચિત્કર છે, એમ સિદ્ધ કર્યું છે.
૨. શ્રી હિતોપદેશ પૃષ્ઠ ૧૦૫.
આઠ કરમ અર દેહ નશાય, લોકાલોક દેખિ જો જ્ઞાય;
પુરુષાકાર આત્મા સિદ્ધ, ધ્યાવો લોકશિખરસ્થિત ઇદ્ધ. ૫૧.
મોક્ષમાર્ગ અધિકાર [ ૨૩૭